જ્ઞાનવાપી મસ્જિદ સંદર્ભે સર્વે નો આદેશ આપનાર જજને ધમકી ભર્યો પત્ર મળ્યો- સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ધમકીનો પત્ર

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi mosque)પરિસરમાં સર્વે (videographic survey)નો આદેશ આપનાર સિનિયર ડિવિઝનના જજ રવિકુમાર દીવાકર(Judge Ravi Kumar Divakar)ને ધમકીભર્યો પત્ર મળ્યો છે.  હવે આ પત્ર સંદર્ભે વારાણસી પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ પત્ર પોસ્ટ ના માધ્યમથી જજને મોકલવામાં આવ્યો છે. ‘ઈસ્લામિક આગાઝ મુવમેન્ટ’ સંગઠનના નામે થી મોકલવામાં આવેલા આ પત્રમાં ધમકી(Threat letter) આપવામાં આવી છે કે ભારતમાં ન્યાયાધીશ ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે. તેમજ હિન્દુ આતંકવાદી સંગઠનોને પ્રસન્ન કરવા માટે ફેસલા આપવામાં આવે છે. ભારત દેશના વિભાજન સંદર્ભે  દોષનો ટોપલો મુસલમાનો પર  ઢોળવામાં આવે છે. જો તમને સરકારી મશીનરી પર ભરોસો હોય તો તમારી પત્ની અને માતાને ડર કઈ વાતનો છે? 

આ સમાચાર પણ વાંચો : મોટી રાહત- યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ આવ્યો નેગેટિવ- હવે તેના સેમ્પલો આ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલાયા

આ પત્ર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમજ પોલીસ તપાસ કરી રહી છે કે આ પત્ર કોણે લખ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More