Site icon

એક યુવકના ખાતામાં અચાનક સાડાપાંચ લાખ રૂપિયા જમા થયા; તેણે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીએ મોકલ્યા છે, શું છે આખી હકીકત? જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે નાગરિકોનાં બૅન્ક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરવાની વાત કરી હતી. ત્યારથી દેશના નાગરિકો આ વાત માટે આશાવાન બની ગયા છે. હાલમાં જ બિહારના એક યુવકના ખાતામાં એકાએક સાડાપાંચ લાખ રૂપિયા જમા થયા હતા. એથી યુવકના આનંદનો પાર ન રહ્યો. તેણે લોકોને કહેવા માંડ્યું કે નરેન્દ્ર મોદીએ તેના ખાતામાં આ રૂપિયા મોકલ્યા છે, પણ  કિસ્સો કંઈક આવો છે.

Join Our WhatsApp Community

આ કિસ્સો બિહારના ખગડિયા જિલ્લાનો છે, ત્યાંની ગ્રામીણ બૅન્કની ભૂલને કારણે રંજિતદાસના ખાતામાં સાડાપાંચ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. રંજિતે દાવો કરી નાખ્યો કે મોદીએ ૧૫ લાખ રૂપિયામાંથી પહેલો હિસ્સો  મોકલ્યો છે. બૅન્કને જ્યારે પોતાની ભૂલની જાણ થઈ ત્યારે બૅન્કે આ રૂપિયા પાછા આપવા યુવકને કહ્યું હતું. રંજિતે બૅન્કને રૂપિયા પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી એટલું જ નહીં, ઘણાં બહાનાં પણ કાઢ્યાં.

પેટ્રોલ સસ્તું થવાની ભીતિએ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના પેટમાં ફાળ પડી, જીએસટીની મિટિંગ પહેલાં જ પોતાનો વિરોધ દર્શાવ્યો

રંજિતદાસે જણાવ્યું હતું કે માર્ચમાં મારા ખાતામાં રૂપિયા જમા થવાથી બહુ ખુશ થઈ ગયો હતો. મને લાગ્યું કે નરેન્દ્ર મોદીએ પોતાનો વાયદો પૂરો કર્યો. મેં તો બધા રૂપિયા વાપરી નાખ્યા છે.  

છેવટે આ કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો હતો અને બૅન્ક મૅનેજરની ફરિયાદ પર રણજિત દાસની ધરપકડ થઈ છે.

Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version