‘મનસુખ હિરેન હત્યાકાંડમાં મારી ધરપકડ નહીં કરતા’ થાણેની કોર્ટમાં અટક પૂર્વ જામીનની અરજી થઈ. જાણો કોણે કરી અરજી.

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

13 માર્ચ 2021

મનસુખ હિરેન હત્યાકાંડમાં હવે જે રીતે તપાસનો દોર આગળ વધ્યો છે તેને કારણે ભલભલાને ચિંતા થવા માંડી છે.ખાસ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશે મહારાષ્ટ્ર વિધાનસભા ની અંદર જે રીતે ચોંકાવનારા ખુલાસા થયા ત્યાર પછી સત્તાધારીઓ પૂરી રીતે બેકફૂટ પર છે.

હવે આ હત્યાકાંડ સાથે સીધી રીતે સંડોવાયેલા પોલીસ ઓફિસર સચિન વઝેએ કોર્ટમાં અરજી કરી છે કે મનસુખ હત્યાકાંડમાં તેની ધરપકડ ન કરવામાં આવે.

'દુનિયાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે' મનસુખ હિરેન હત્યાકાંડ કેસમાં સંડોવાયેલા આ મહત્વપૂર્ણ વ્યક્તિનું કથન. જાણો ચોંકાવનારી વિગત.

ઉલ્લેખનીય છે કે સચિન વઝે ની તરફ હવે શંકાની સોય મંડાઈ રહી છે. વિરોધ પક્ષના નેતા એ જે રીતે કેસને નિશાના પર લીધો છે તેને કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઈએ પણ તેની પૂછપરછ કરે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિમાં સચિન વઝે ને હવે ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેને જેલના સળિયા ન ગણવા પડે. આથી તેણે અટક પૂર્વ જામીનની અરજી કરી છે.

You may also like

Leave a Comment