Site icon News Continuous Bureau | Mumbai

હવે માઓવાદીઓ પણ કોરોનાની ચપેટમાં; પોલીસે કરી આત્મસમર્પણ કરવાની અપીલ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

છત્તીસગઢમાં આતંકનો પર્યાય બની ચુકેલા માઓવાદીઓ કોરોના વાઈરસ અને ફૂડ પોઇઝનિંગથી પીડાય રહ્યા છે. પૂર્વે બસ્તર ક્ષેત્રના માઓવાદીઓ કોરોના જેવો કોઈ રોગ જ ન હોવાની વાતો કરતા હતા. હવે તેઓ પોતે જ કોરોનાનો ભોગ બન્યા છે. પોલીસે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે અને તેમને પોતાના ખર્ચે સારવાર કરાવવાની ખાતરી આપી છે.

એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા રેન્જના આઈજીપી સુંદર રાજે કહ્યું છે કે માઓવાદીઓ સતત કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પહેલા તેઓ કોરોના મહામારીને મજાકમાં લેતા હતા, પરંતુ હવે માઓવાદી વડા સહિત પક્ષના ઘણા સભ્યોને ચેપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમાંથી ઘણા પર લાખોનું ઇનામ જાહેર કરાયું છે. આ સાથે પોલીસે કોરોનાથી સંક્રમિત માઓવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી છે જેથી ગ્રામીણ લોકોમાં કોરોના ફેલાય નહીં.

સુરતમાં અંગ્રેજી માધ્યમના સંચાલકોએ શરૂ કરી ગુજરાતી શાળા; વાલીઓ તરફથી પણ મળ્યો ઉત્તમ પ્રતિસાદ, જાણો વિગત 

પોલીસે માઓવાદીઓને હાંકી કાઢવા ૭ કેમ્પ ગોઠવ્યા છે. કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં દવા અને ખાદ્ય પદાર્થો માઓવાદીઓ સુધી પહોંચતા નથી અને તેઓ જૂની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે માઓવાદીઓને ફૂડ પોઇઝનિંગ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે માઓવાદી સુજાતા સહિત ૪૦થી વધુ લોકો કોરોનાથી પીડાય રહ્યા છે. માઓવાદી પક્ષના વડા દંડકારણ્યના સભ્ય માઓવાદી સુજાતા પણ કોરોનાની ચપેટમાં છે. તેના પર ૨૫ લાખ રૂપિયાનું ઇનામ છે.

Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Malad Digital Arrest Scam મલાડના નિવૃત્ત વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના નામે ડરાવી ₹૪૧.૫૦ લાખ પડાવ્યા; વસઈથી બે શખ્સો ઝડપાયા
Exit mobile version