ભારતમાં હવા પ્રદૂષણે સેંકડો લોકોના જીવ લીધા, સાથે જ જીડીપીનું ખૂબ મોટું નુકસાન કર્યું છે. જાણો આ કેવી રીતે થયું..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

23 ડિસેમ્બર 2020 

દિલ્હી-એનસીઆરની કડકડતી ઠંડીમાં ફરી પ્રદૂષણ જોખમ બની ગયું છે. જ્યારે હવાની ગુણવત્તાનું સ્તર જોતા લોકોને 26 ડિસેમ્બર સુધી રાહત મળે તેવી અપેક્ષા નથી. દરમિયાન, ભારતને હવાના પ્રદૂષણને કારણે આરોગ્ય અને આર્થિક મોરચે ભારે જ નુકસાન થયું છે. એક સંશોધન મુજબ, 2019 માં, વાયુ પ્રદૂષણને કારણે થતાં રોગોના કારણે 16 લાખ 70 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં થયેલા કુલ મૃત્યુઆંકમાં તેનો હિસ્સો 17. 8 ટકા હતો. તેથી પણ વધુ, વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ અને રોગોને કારણે ભારતના જીડીપીમાં 1.4 ટકાનું નુકસાન થયું છે. ચોંકાવનારો ખુલાસો મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત થયો છે. 

વાયુ પ્રદૂષણના આરોગ્ય અને આર્થિક પ્રભાવ અંગેના પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જીડીપીમાં ભારતને 2 લાખ 60 હજાર કરોડનું નુકસાન થયું છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતના ઉત્તર અને મધ્ય રાજ્યોમાં હવાના પ્રદૂષણને કારણે રાજ્યના જીડીપીમાં આર્થિક નુકસાનની ટકાવારી ઘણી વધારે છે. ઉત્તર પ્રદેશને જીડીપીના 2.2 ટકા અને બિહારને જીડીપીના 2 ટકામા  સૌથી વધુ નુકસાન થયું છે. ઘરેલું પ્રદૂષણને કારણે મૃત્યુ દરમાં 1990-99 ની વચ્ચે મોટો ઘટાડો થયો છે જ્યારે તે જ સમયગાળામાં બાહ્ય પ્રદૂષણને કારણે મૃત્યુ દરમાં 115 ટકાનો વધારો થયો છે. 

નિષ્ણાંતોએ પરિણામો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો હવાનું પ્રદૂષણ દૂર કરવામાં આવ્યું હોત તો 18 ટકા લોકોના જીવ બચાવી શકાયા હોત. આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર બાલારામ ભાર્ગવએ ટિપ્પણી કરી હતી કે, "પરિણામો દર્શાવે છે કે હવા પ્રદૂષણને લીધે રોગનો 40% ભાર ફેફસાના રોગો થયાં છે, બાકીનો 60 ટકામાં હ્રદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીઝ અને અકાળે જન્મતા સાથે નવજાત મૃત્યુ છે. તે બતાવે છે કે હવાના પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર બહોળી અસર પડે છે. "

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More