Site icon News Continuous Bureau | Mumbai

21 મી જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા.. જાણો દરરોજ કેટલા શ્રદ્ધાળુઓ કરી શકશે આ યાત્રા .

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

9 જુલાઈ 2020

હાલમાં ચાલી રહેલી કોવિડ-19 રોગચાળા વચ્ચે હિમાલયમાં દર વર્ષે આયોજિત થતી અમરનાથ યાત્રામા આ વર્ષે મોટા ફેરફારો કરવામાં આવ્યાં છે અને દરરોજ માત્ર  500  યાત્રાળુઓ જ ભગવાન શિવની પવિત્ર ગુફાના દર્શનની કરી શકશે એમ અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થશે.

કોરોના મહામારી ને કારણે આમ તો તમામ ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. પરંતુ,  કેન્દ્રીય મંત્રીઓની મળેલી ઉચ્ચ બેઠકમાં આ વર્ષે કડક નિયમો સાથે યાત્રા કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યાં મેડિકલ guideline નું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આમ બાબા અમરનાથ ઉપરાંત વૈષ્ણવ દેવીના દર્શન પણ શ્રદ્ધાળુઓ કરી શકશે પરંતુ વૈષ્ણવ દેવી માટે શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ જાહેર કરાઇ નથી .

અમરનાથ અને વૈષ્ણવ દેવી એમ બંને ધાર્મિક સ્થળો જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. જ્યાં 9 હજારથી વધુ કોરોનાના કેસ આવી ચૂક્યા છે. બીજી બાજુ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાયા બાદ આ વર્ષે યાત્રા પ્રથમ વાર જ આયોજિત થઇ છે. આથી બંને યાત્રાઓ દરમિયાન ચાપતો પોલીસ બંદોબસ્ત અને સાથે જ કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version