News Continuous Bureau | Mumbai
આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ફરી એકવાર આસારામને કેસને લઈને ચર્ચા શરુ થઈ છે. 2013માં આસારામ અને નારાયણ સાંઈની ધરપકડ બાદ તેમની પુત્રી ભારતીશ્રી સામ્રાજ્ય પર પકડ જમાવી રહ છે. તે ટ્રસ્ટની તમામ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે.
આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈ લગભગ નવ વર્ષથી જેલમાં છે. આસારામ બાપુને ગુજરાતની ગાંધીનગર કોર્ટે બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. આસારામ પર બે બહેનો પર બળાત્કારનો આરોપ હતો. આ કેસોમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ જેલમાં છે. આવી સ્થિતિમાં દેશભરમાં ફેલાયેલું પોતાનું સામ્રાજ્ય એટલે કે, આસારામ વેલ્થ સામ્રાજ્ય કોણ ચલાવે છે, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આટલું જ નહીં તેમની 10,000 કરોડથી વધુની સંપત્તિનો માલિક કોણ છે, તે પણ એક રહસ્ય છે. કારણ કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એ વાત ચોક્કસ છે કે આસારામ કે તેમના પુત્ર નારાયણ સાંઈ જેલમાં હોવાને કારણે આ કામ કરી રહ્યા નથી. ખરેખર, આસારામની પુત્રી ભારતીશ્રી હવે આ કાર્ય સંત શ્રી આસારામજી ટ્રસ્ટ દ્વારા કરી રહી છે. ટ્રસ્ટનું મુખ્યાલય અમદાવાદમાં છે. જેઓ દેશભરમાં ફેલાયેલી તેમની બાબતોનું ધ્યાન પણ રાખે છે. 2013માં આસારામ અને નારાયણ સાંઈની ધરપકડ બાદ સામ્રાજ્ય પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.
આ સમાચાર પણ વાંચો : સંસદમાં વિપક્ષે મચાવ્યો હોબાળો, રાજ્યસભા-લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત
400થી વધુ આશ્રમો છે
વાસ્તવમાં આસારામ બાપુના દેશભરમાં 400થી વધુ આશ્રમો છે. અહીં 1500થી વધુ સેવા સમિતિઓ અને 17 હજારથી વધુ બાળ કેન્દ્રો છે. તેમની પાસે 40થી વધુ ગુરુકુલ પણ છે. પ્રાપ્ત વિગતો અનુસાર એકંદરે આસારામની સંપત્તિ 10,000 કરોડ રૂપિયાથી વધુ છે. ટ્રસ્ટ આ બધાની દેખરેખ અને તેમની પ્રવૃત્તિઓ ચલાવવાનું કામ કરે છે. ભારતીશ્રી અમદાવાદમાં બાબા આસારામના આશ્રમ સંકુલની અંદર આરતી સ્થળમાં હાજરી આપે છે. પ્રવચન દરમિયાન તે બાપુની જેમ નૃત્ય કરે છે અને ગાય છે. તે આસારામની જેમ જ પોતાને ફૂલોથી શણગારે છે. આશ્રમની આરતી સંબંધિત પ્રવૃત્તિઓ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે.
70ના દાયકામાં આસારામે પોતાનું ધાર્મિક સામ્રાજ્ય બનાવ્યું
જણાવી દઈએ કે 70ના દાયકામાં આસારામે પોતાનું ધાર્મિક સામ્રાજ્ય બનાવ્યું હતું. આસારામ સામ્રાજ્યને આગળ વધારવા તેમના પુત્ર નારાયણ સાંઈ આવ્યા હતા. હવે તેમાં ભારતી પણ જોડાઈ. 15 ડિસેમ્બર 1975ના રોજ જન્મેલી ભારતીએ માત્ર 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમણે ચૌદ વર્ષ સુધી ધ્યાન અને યોગ કર્યા. ભારતીશ્રીએ તેના પિતાના સામ્રાજ્યમાં મહિલા આશ્રમોનું કામ જોવાનું શરૂ કર્યું અને પ્રચાર પણ શરૂ કર્યો. તે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આશ્રમોના રોજિંદા કામકાજ અને અર્થતંત્રને નિયંત્રિત કરે છે. ખાસ વાત એ છે કે તે મીડિયામાં પોતાની જાતને લો પ્રોફાઇલ રાખે છે.
આ સમાચાર પણ વાંચો : Adani FPO : અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓ રદ્દ કર્યો, રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે
Join Our WhatsApp Community