આનંદો!! 1 જુલાઇથી ચારધામ યાત્રા શરૂ, માત્ર સ્થાનિકોને જ પ્રવેશ, રાજ્ય બહારના લોકોએ રાહ જોવી પડશે

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ઉત્તરાખંડ

29 જુન 2020 

આખરે એક જુલાઈથી ચારધામ યાત્રા શરૂ કરવાની મંજૂરી મળી છે. પરંતુ, અત્યારે સ્થાનિક લોકો અને રાજ્યના લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. ઉતરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડના જણાવ્યા મુજબ આંતર જિલ્લાઓને જ મંજૂરી આપવામાં આવી છે. જેના માટે જે તે ગામના પ્રશાસન પાસેથી મંજૂરી લેવાની રહેશે, ત્યાંથી યાત્રાનો પાસ મળ્યા બાદ ભાવિકો યાત્રાનો પ્રારંભ કરી શકશે. અત્યાર સુધીમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી જિલ્લાના સ્થાનિક લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. જે લોકોને યાત્રાનો પાસ મળે તેમણે આઈડી પ્રૂફ પણ બતાવવાનો રહેશે. આ ઉપરાંત જે જે જિલ્લાઓ કન્ટેન્મેન્ટ ઝોન માં આવતા હશે ત્યાંના લોકોને દર્શનની પરવાનગી આપવામાં આવશે નહીં.

 ચારધામની યાત્રા માટે ભાવિકોની સંખ્યા સીમિત રાખવામાં આવી છે. જેમકે બદ્રીનાથમાં 1200, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600, યમનોત્રીમા 400 લોકોને, એક દિવસમાં પ્રવેશ અપાશે.. જ્યારે અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓને ક્યારે મંજુરી આપવામાં આવશે તેનો નિર્ણય ભવિષ્યમાં લેવાશે...

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More