Gujarat Saraswati River Bridge: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સરસ્વતી નદી પર ‘આ’ બ્રિજ નિર્માણ માટે આપી મંજૂરી, રાજ્ય સરકાર ફાળવશે ૧૪૫ કરોડ રૂપિયા.

Gujarat Saraswati River Bridge: અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવા સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે. મુખ્યમંત્રીએ બ્રિજ નિર્માણ માટે રૂ. ૧૪૫ કરોડ ફાળવવાની મંજૂરી આપી

by Hiral Meria
CM Bhupendra Patel gave approval for construction of bridge over Saraswati river at Siddhpur in Gujarat.

  News Continuous Bureau | Mumbai

Gujarat Saraswati River Bridge:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.

 મુખ્યમંત્રીએ ( Bhupendra Patel ) આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. 

સરસ્વતી નદી ( Saraswati River ) પરનો હયાત ટુ લેન બ્રિજ ૧૯૫૯માં બનાવવામાં આવેલો છે. 

એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ ( Four Lane Bridge ) નિર્માણ પામશે. 

આ સમાચાર પણ વાંચો : CCI slaps Meta: ભારતમાં મેટાને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને 5 વર્ષનો પ્રતિબંધ! જાણો શું છે સમગ્ર મામલો 

બ્રિજનું ( Gujarat Saraswati River Bridge ) નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને  સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More