મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્તોને આપવામાં આવ્યું 1,354 કરોડ રૂપિયાનું વળતર; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29, સપ્ટેમ્બર  2021

બુધવાર

બહુચર્ચિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ રાજકીય અને સામાજિક સમસ્યાઓને કારણે કાચબાની ગતિએ ચાલુ છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યાર સુધીમાં રાજ્યમાં ખાનગી જમીન સંપાદનથી અસરગ્રસ્તોને 1,354 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. થાણે અને પાલઘર જિલ્લામાંથી બુલેટ ટ્રેન દોડશે એથી આ જિલ્લાઓમાં જમીન સંપાદન ચાલી રહ્યું છે અને એને વધુ પ્રતિસાદ મળ્યો નથી. નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશને ગુજરાતમાં ખાનગી જમીન સંપાદન માટે અત્યાર સુધીમાં 5,456 કરોડની ગણતરી કરી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં કુલ 432.67 હેક્ટર જાહેર અને ખાનગી જમીનની જરૂર પડશે. અત્યાર સુધીમાં સરેરાશ 134.31 હેક્ટર અથવા 31 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. શરૂઆતથી ખાનગી જમીન સંપાદન કરતી વખતે કેટલાંક ગામોમાં પ્રોજેક્ટ સંપાદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ગયા વર્ષથી કોરોનાના કારણે સંપાદન માટે લેવામાં આવેલા સમયથી સંપાદનનો દર ઓછો રહ્યો છે.

ગુજરાતમાં સૌથી વધુ 98 ટકા જમીન સંપાદન છે અને ઘણાં કામો શરૂ કરવામાં આવ્યાં છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થાણે અને પાલઘર જિલ્લાઓ સાથે મુંબઈ ઉપનગરીય રેલવે પર કુલ 432.67 હેક્ટર જાહેર અને ખાનગી જમીનને આવરી લેશે. થાણે જિલ્લાનાં 22 ગામ, પાલઘરનાં 73 ગામ અને મુંબઈનાં બે સ્થળોની ખાનગી જમીન સંપાદન નૅશનલ હાઈ સ્પીડ રેલવે દ્વારા કરવાની છે. અત્યાર સુધીમાં માત્ર 55.57 હેક્ટરનું સંપાદન થયું છે અને કુલ 275.02 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવાની છે.

હાઈ સ્પીડ કૉર્પોરેશનનાં પ્રવક્તા સુષમા ગૌરેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અત્યાર સુધી પ્રોજેક્ટ અસરગ્રસ્તોને રૂ, 1,354 કરોડ ચૂકવવામાં આવ્યા છે, જેઓ ખાનગી જમીન ધરાવે છે અને એને સંપાદિત કરે છે. ગુજરાતમાં આઠ જિલ્લાનાં 198 ગામની જમીન રૂ .5,456 કરોડના ખર્ચે બુલેટ ટ્રેન માટે સંપાદન કરવાની હતી.

વાહ! માની ગયા આ મહિલા કર્મચારીઓની ઈમાનદારીને. કિંમતી હાર મૂળ માલિકને પાછો કરનારી કર્મચારીઓનું મેયરે કર્યું સન્માન;જાણો વિગત

કૉર્પોરેશને દાદરા નગર હવેલીનાં બે ગામમાં ખાનગી જમીન સંપાદન માટે 69 કરોડ રૂપિયાની ગણતરી પણ કરી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 750 હેક્ટરમાંથી 731 હેક્ટર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન વિના વાસ્તવિક કામ હજુ શરૂ થયું નથી. આ માટે ઓછામાં ઓછું 80% જમીન સંપાદન જરૂરી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More