પ્રેરણાદાયી કિસ્સો: કોરોનાએ બેરોજગાર બનાવી.. દિલ્હીની ગીતા આજે ઈડલી વેચી આટલી મોટી રકમ કમાઈ લે છે કે… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ
01 ડિસેમ્બર 2020
ગીતા જયસ્વાલ સંચાલિત શ્રીમતી ઇડલી જુલાઈ 2020 માં અસ્તિત્વમાં આવી છે જે ગીતાને દિવસના લગભગ 4500 રૂપિયા કમાવવામાં મદદ કરી રહી છે. 

કોઈ ટેકો કે કુટુંબના ટેકા વિના વર્ષ 2016 માં અલ્હાબાદથી દિલ્હી સ્થાયી થયા પછી, તેણે ધીરે ધીરે અને સ્થિરતાથી શાલીમાર બાગમાં પોતાનો હોમમેઇડ ટિફિન સર્વિસ બિઝનેસ બનાવ્યો.  

રોગચાળો ફાટતા પહેલા ગીતા લગભગ 65 થી 70 વિદ્યાર્થીઓ માટે દિવસમાં ત્રણ વાર નાસ્તો-ભોજનની તૈયારી કરતી હતી. “માર્ચમાં જ્યારે તાળાબંધીનો અમલ થયો ત્યારે તે લગભગ રાતોરાત બેરોજગાર બની ગઈ હતી. 

આમ પણ તેનો પતિ જે કમાતો હતો તેનાથી તેનું, તેની દીકરી અને સાસુ સસરાનું પેટ માંડ ભરાતું હતું. આથી ગીતાએ નિર્ણય કર્યો કે તે કઈ વસ્તુ શ્રેષ્ઠ બનાવી શકે છે?. આજીવિકા મેળવવાની જરૂર હતી. જેના કારણે ગીતાએ 28 મી જુલાઈ 2020 ના રોજ શાલીમાર બાગમાં 'શ્રીમતી ઇડલી' નામના ફૂડ સ્ટોલની સ્થાપના કરી. 

લગભગ ત્રણ મહિનાથી શૂન્ય આવક બાદ ગીતાનો ફૂડ સ્ટોલનો વ્યવસાય હવે તેને દરરોજ લગભગ 4500 રૂપિયાની કમાણી કરી આપે છે. 

તેણે મુખ્યત્વે ઇડ્લિસ બનાવવાનું શરૂ કર્યું.. કારણ કે તેને લાગ્યું કે તે એક એવી વાનગી છે જે બાળકો, યુવાન, પુખ્ત વયના લોકો દ્વારા સાર્વત્રિક રૂપે પસંદ કરવામાં આવે છે. ધીમેં ધીમે તેની ઈડલી આખા વિસ્તારમાં વખણાવા લાગી. આજે અહીં તે દરરોજ લગભગ સવારથી રાત સુધીમાં ગરમ ગરમ 60 પ્લેટથી વધુ ઈડલી ચટણી વેચીને આરામનથી રોજના 4500 રૂપિયા કમાઈ લે છે. 

આમ ગીતા જયસવાલ માટે લોકડાઉનમાં એક રસ્તો બંધ થયો તો બુજો રસ્તો ખુલી ગયો. 'આથી જ જીવનમાં ક્યારેય નાસીપાસ થયાં વગર પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.. એમ અંતમાં ગીતા કહે છે.'

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More