સરકારી કર્મચારીને ધમકાવનારા ભાજપના આ નગરસેવકની શું ધરપકડ થશે? કોર્ટે એન્ટીસીપેટરી બેલ ફગાવ્યા; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

બુધવાર.

સરકારી કર્મચારીને ધમકાવનારા લોકોના એન્ટીસીપીટેરરી જામીન મંજૂર કરીને સમાજને ખોટું ઉદાહરણ આપવું નથી એવા દાવા સામે હાલમાં જ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક હરીશ કૃષ્ણા ભાંદિર્ગેના એન્ટીસીપેટરી બેલ ફગાવી દીધા છે. તેથી  તેમની ધરપકડ થાય એવી શકયતા છે.  આ નગરસેવકે મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા ખાતાના આસિસન્ટ એન્જિનિયરને ગાળો આપી હતી. તેથી તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

સરકારી કર્મચારી તેની ફરજ બજાવતો હોય અને નગરસેવક તેને ગાળો આપે, તેને ધમકાવે તથા તેની મારપીટ કરે તે યોગ્ય નથી. આ રીતે સરકારી કર્મચારીઓને ફોન પર ધમકીઓ આવી તો સંપૂર્ણ યંત્રણા પંગુ થઈ જશે અને આ ટ્રેન્ડ વધતો જ જશે તેથી તેના તરફ દૂર્લક્ષ કરવામાં આવે અને જો એન્ટીસીપીટેરી જામીન મંજૂર કરવામાં આવે તો કાયદાનું પાલન કરનારા  નાગરિકોને ખોટો સંદેશો જશે. નગરસેવકો તરફથી દબાણ લાવવામાં આવે તો પાલિકા અને સરકારી યંત્રણા ખોરવાઈ જશે  એવું કહીને કોર્ટે નગરસેવકના જામીન ફગાવી દીધા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More