Site icon

મોદીએ ‘ફિટ ઈન્ડિયા ડાયલોગ’ માં પોતાની ફિટનેસ નો મંત્ર જણાવ્યો.. જે સાંભળી દિગ્ગજ ખેલાડીઓ થયાં આશ્ચર્ય ચકીત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 સપ્ટેમ્બર 2020

આજથી બરાબર એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ ની શરૂઆત કરી હતી. આજે આ અવસરે યોજવામાં આવેલા 'ફીટ ઇન્ડિયા ડાયલોગ' કાર્યક્રમમાં જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ રમત જગતના દિગ્ગજો સાથે વાતચીત કરી હતી. જેમાં વિરાટ કોહલી, પેરા ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ દેવેન્દ્ર જાજરીયા, કાશ્મીરી ખેલાડી અફસાન જેવા સાથે મોદીએ ફિટનેસને લઈને ચર્ચા કરી હતી. 

 આ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે શારીરિક ફિટનેસ સાથે લોકોને માનસિક ફિટનેસ ની પણ એટલી જ જરૂર છે. દેશમાં લોકોની હવે ફિટનેશને લઈ માનસિકતા બદલાઈ રહી છે. યોગ હવે જીવનનો હિસ્સો બની ગયો છે. નોંધનીય છે કે દેશમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાના હેતુસર રાષ્ટ્રીય ખેલ દિવસ ને ફિટનેસ ડે તરીકે પસંદ કરવામાં આવ્યો હતો..  

મોદીએ પોતાની ફિટનેસનું કારણ જણાવતા કહ્યું કે તેઓ અઠવાડિયામાં 1 થી 2 વાર પોતાની માતા સાથે વાત કરે છે. ત્યારે તેમની માતા અચૂક પૂછે છે કે, હું હળદર લઉં છું કે નહીં? આથી તેઓ કોઈપણ રીતે દરરોજ હળદર નું સેવન કરે છે. જેને કારણે કામનો આનંદ અને જીવનનો ઉત્સાહ જળવાઈ રહે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું..

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version