Site icon

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો

સુકું નાળિયેર વિમાનમાં આગ લગાડી શકે છે: ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સે સુરક્ષાના કારણોસર મૂક્યો પ્રતિબંધ, જાણો મુસાફરીના કડક નિયમો.

Why Coconut Banned in Flight ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ મુસાફરી

Why Coconut Banned in Flight ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ મુસાફરી

News Continuous Bureau | Mumbai
Why Coconut Banned in Flightહવાઈ મુસાફરીના પોતાના આગવા નિયમો હોય છે. સામાન્ય રીતે લોકો જાણે છે કે ફ્લાઇટમાં 100 ml થી વધુ પ્રવાહી, અણીદાર વસ્તુઓ અથવા વિસ્ફોટક પદાર્થો લઈ જવાની મનાઈ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે નાળિયેર જેવી સામાન્ય દેખાતી વસ્તુ પણ ફ્લાઇટમાં પ્રતિબંધિત છે? ઘણા મુસાફરો, ખાસ કરીને જેઓ મંદિરનો પ્રસાદ લઈ જતા હોય છે, તેઓ નાળિયેરને નિર્દોષ ફળ માનીને બેગમાં પેક કરી લે છે, પરંતુ એરલાઈન્સ માટે તે એક ‘ફાયર હેઝાર્ડ’ એટલે કે આગનું જોખમ છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પ્રશ્નના જવાબમાં ઈન્ડિગો એરલાઈન્સે (IndiGo) સ્પષ્ટતા કરી હતી કે, સુકું નાળિયેર ખૂબ જ જલ્દી આગ પકડી લે તેવો પદાર્થ છે, તેથી તેને ચેક-ઈન અથવા હેન્ડ બેગેજમાં લઈ જવાની મંજૂરી નથી.

સુકું નાળિયેર કેમ છે જોખમી?

સુકા નાળિયેર (ગોટા) માં તેલની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેલની વધુ માત્રાને કારણે તે ‘જ્વલનશીલ’ પદાર્થની શ્રેણીમાં આવે છે. જો વિમાનની અંદર મુસાફરી દરમિયાન નાળિયેર ગરમીના સંપર્કમાં આવે, તો તે આપમેળે પણ આગ પકડી શકે છે. વિમાનના કાર્ગો હોલ્ડમાં જ્યાં વેન્ટિલેશન ઓછું હોય છે, ત્યાં નાળિયેરમાંથી નીકળતી ગરમી અકસ્માત નોતરી શકે છે. એકવાર હવામાં વિમાનમાં આગ લાગે તો મર્યાદિત સંસાધનોને કારણે તેને કાબૂમાં લેવી અત્યંત મુશ્કેલ હોય છે.

Join Our WhatsApp Community

શું છે એરલાઈન્સના નિયમો?

આખું સુકું નાળિયેર: કોઈ પણ સંજોગોમાં મંજૂરી નથી.
ટુકડા કરેલું નાળિયેર: સ્પાઈસજેટ (SpiceJet) જેવી કેટલીક એરલાઈન્સના મતે, જો નાળિયેરને નાના ટુકડાઓમાં કાપીને અને વ્યવસ્થિત રીતે પેક કરીને ચેક-ઈન બેગેજમાં રાખવામાં આવે, તો જ તેની મંજૂરી મળી શકે છે.
લીલું નાળિયેર: લીલા અથવા પાણીવાળા નાળિયેરને કેબિનમાં લઈ જવાની મનાઈ છે કારણ કે સુરક્ષા નિયમો મુજબ મર્યાદિત માત્રાથી વધુ પ્રવાહી (Liquid) લઈ જવા પર પ્રતિબંધ હોય છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ

ઓક્સિજનની અછત અને આગનું જોખમ

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, ઊંચાઈ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે અને વિમાનમાં આગ લાગવી એ સૌથી મોટું જોખમ ગણાય છે. સુકું નાળિયેર ‘Flammable Solid’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આથી જ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકિંગ દરમિયાન જો તમારી બેગમાંથી આખું સુકું નાળિયેર મળે, તો તેને સુરક્ષાકર્મીઓ દ્વારા બહાર કઢાવી દેવામાં આવે છે. તમારી આગામી હવાઈ મુસાફરીમાં પ્રસાદ કે અન્ય વસ્તુ પેક કરતી વખતે આ નિયમ ખાસ યાદ રાખવો જરૂરી છે.

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version