ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ડિસેમ્બર 2021
ગુરુવાર
એક ઉંમર પછી ચહેરા પર કરચલીઓ પડવી સામાન્ય બાબત છે. પરંતુ કેટલાક લોકોને ઉંમર પહેલા તેમના ચહેરા પર ઝીણી રેખાઓ દેખાવા લાગે છે. આટલું જ નહીં, ચહેરા પરના ઝાંય ને કારણે ઉંમરની સરખામણીમાં વધુ દેખાવા લાગે છે. આના કારણો ઘણા છે. આમાંથી એક ખરાબ જીવનશૈલી અને ખાવાની આદતો છે. તેની અસર સૌ પ્રથમ આપણી ત્વચા પર જોવા મળે છે.પછી ભલે તે ચહેરા પરની ઝાંય હોય કે કરચલીઓ, તેને દૂર કરવું સરળ કામ નથી. સતત વધતા તણાવની અસર ચહેરાની ત્વચા પર પણ પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાને દૂર કરી શકો છો.
તમારા ચહેરાને શુષ્કતાથી દૂર રાખો:
ચહેરાને કરચલીઓથી બચાવવા માટે ચહેરાને શુષ્કતાથી બચાવવી જરૂરી છે. આ માટે ચહેરાને દિવસમાં બે વાર સ્વચ્છ પાણીથી ધોઈને મોઈશ્ચરાઈઝ કરો. તમારા ચહેરાને સાફ કરવા માટે માત્ર હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો. જ્યારે પણ તમે તડકામાં બહાર જાઓ ત્યારે 30 થી વધુ SPF વાળી સનસ્ક્રીન લગાવો અને ત્વચાને તડકાથી બચાવો.
ગાઢ ઊંઘ:
સારી ત્વચા માટે ગાઢ ઊંઘ જરૂરી છે. ઊંઘ તમારા આખા શરીરને રિપેર કરે છે અને ત્વચાને રૂઝ આપે છે. આવી સ્થિતિમાં, રાત્રે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સૂવાથી તણાવની અસર પણ ઓછી થાય છે અને ત્વચા પર અકાળે કરચલીઓ પડતી નથી.
ખોરાક પર વિશેષ ધ્યાન:
બને ત્યાં સુધી આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. હેલ્ધી ડાયટ ત્વચાને ચમકદાર બનાવે છે. બને ત્યાં સુધી આહારમાં સલાડ અને દહીંનો સમાવેશ કરો. સવારના નાસ્તામાં ડ્રાય ફ્રુટ્સ ખાઓ અને દિવસભર પુષ્કળ પાણી પીઓ. આમ કરવાથી ત્વચા લાંબા સમય સુધી યુવાન રહેશે.
તણાવ ટાળો:
ટેન્શન તમારી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં બને ત્યાં સુધી પોતાના પરથી તણાવ દૂર કરો. હકીકતમાં, જ્યારે તમે તણાવમાં હોવ છો, ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું વધુ ઉત્પાદન થાય છે જે કોલેજનને તોડે છે. તમને જણાવી દઈએ કે કોલેજન તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.