Site icon

આઇસીસીએ ટી 20 વર્લ્ડ કપ અંગેનો નિર્ણય 10 જૂન સુધી મુલતવી રાખ્યો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

29 મે 2020

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ગુરુવારે 10 જૂને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી -20 વર્લ્ડ કપના ભવિષ્ય અંગેના નિર્ણયને ટાળી દીધો છે કારણ કે તે ક્રિકેટ કાર્યક્રમ અટકેલા કોરોના વાયરસ રોગચાળા વચ્ચે કટોકટીની યોજના અંગે વિચારણા કરી રહ્યો છે. ટી 20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજાવાનો હતો પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે તેને મોકૂફ રાખવામાં આવે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે  અને હાલમાં આ વિંડોનો ઉપયોગ મોકૂફ રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજન માટે થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આઇસીસીએ બોર્ડના ટેલિકોનફરન્સ પછી કહ્યું કે, ‘બોર્ડ આઈસીસી પ્રબંધનને આગ્રહ કરે છે કે તે કોવિડ-19 મહામારીના કારણે સતત બદલાઈ રહેલી જન સ્વાસ્થ્યની સ્થિતિને જોતા વિભિન્ન આપાત વિકલ્પોને લઈ સંબંધિત હિતધારકો સાથે ચર્ચા જારી રાખે.' જોકે આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કોવિડ-19 મહામારીના કારણે બનેલી પરિસ્થિતિઓમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન ટળવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગ કરાવવાનો રસ્તો ખુલી જશે. એટલે કે બીસીસીઆઈ આ એક્ટોબર-નવેમ્બરના વિંડોને આઈપીએલ માટે ઉપયોગમાં લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બેઠક બાદ ઑસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને 2022 સુધી સ્થગિત કરવાનું એલાન સંભવ છે.

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version