Site icon

IIMCs 56th convocation ceremony: આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC)નો યોજાશે 56મો દીક્ષાંત સમારોહ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે રહેશે ઉપસ્થિત

IIMCs 56th convocation ceremony:આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC)નો યોજાશે 56મો દીક્ષાંત સમારોહ. IIMCના ચાન્સેલર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

IIMCs 56th convocation ceremony Union Minister Ashwini Vaishnaw to attend IIMC’s 56th convocation ceremony on March 4

IIMCs 56th convocation ceremony Union Minister Ashwini Vaishnaw to attend IIMC’s 56th convocation ceremony on March 4

News Continuous Bureau | Mumbai

IIMCs 56th convocation ceremony :

Join Our WhatsApp Community

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC) 4 માર્ચ, 2025ના રોજ મહાત્મા ગાંધી મંચ, IIMC, નવી દિલ્હી ખાતે તેનો 56માં દીક્ષાંત સમારોહનું આયોજન કરશે. IIMCના ચાન્સેલર અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

IIMCs 56th convocation ceremony :2023-24 બેચના વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને શ્રેષ્ઠતા પુરસ્કારોથી સન્માનિત કરવા માટે દીક્ષાંત સમારોહ

આ દીક્ષાંત સમારોહમાં 2023-24 બેચના 9 અભ્યાસક્રમોના 478 વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા પ્રમાણપત્રો એનાયત કરીને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવશે. સમારોહ દરમિયાન IIMC નવી દિલ્હી અને તેના પાંચ પ્રાદેશિક કેમ્પસ – ઢેંકનાલ, આઇઝોલ, અમરાવતી, કોટ્ટાયમ અને જમ્મુના વિદ્યાર્થીઓને તેમના ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. વધુમાં 36 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાને સન્માનિત કરવા માટે વિવિધ મેડલ અને રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Coal Mine Auctions :ગાંધીનગરમાં કોલસાની ખાણોની વાણિજ્યિક હરાજી, રોડ શોનું કરાયું આયોજન..

આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ફેકલ્ટી સભ્યો અને મહેમાનો આ મહત્વપૂર્ણ ક્ષણને ઉજવવા માટે એક સાથે આવશે. જે મીડિયા અને સંદેશાવ્યવહારના શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાની IIMCની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

IIMCs 56th convocation ceremony : IIMC મીડિયા લીડર્સને તૈયાર કરે છે

IIMC ભારતની અગ્રણી મીડિયા તાલીમ સંસ્થા છે, જે મીડિયા અને સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં શિક્ષણ પ્રદાન કરે છે. 1965માં સ્થાપિત, IIMC હિન્દી પત્રકારત્વ, અંગ્રેજી પત્રકારત્વ, વિજ્ઞાપન અને જનસંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પત્રકારત્વ, ડિજિટલ મીડિયા, ઓડિયા પત્રકારત્વ, મરાઠી પત્રકારત્વ, મલયાલમ પત્રકારત્વ અને ઉર્દૂ પત્રકારત્વમાં પીજી ડિપ્લોમા અભ્યાસક્રમો પ્રદાન કરે છે. આ ઉપરાંત 2024માં ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા પછી, યુનિવર્સિટી દ્વારા મીડિયા બિઝનેસ સ્ટડીઝ અને સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનમાં બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યા છે.\

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version