ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 ડિસેમ્બર 2020
સમાજમાં ક્યારેક એવાં કિસ્સા સામે આવતાં હોય છે જેની કલ્પના પણ આપણે કરી શકતા નહીં.. આઈઆઈટી-કાનપુરનો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાનનો પૂર્વ વિદ્યાર્થી હોવાનો દાવો કરતો એક વૃદ્ધ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની શેરીઓમાં ભીખ માંગતો મળી આવ્યો છે..
તેને આવી સ્થિતિમાંથી ઉગારનાર સ્વયંસેવી સંસ્થા 'આશ્રમ સ્વર્ગ સદન'ના અધિકારીએ કહ્યું કે, સુરેન્દ્ર નામનો આ વ્યક્તિ બસ સ્ટેન્ડ નજીક ખૂબ નિરાધાર હાલતમાં મળી આવી હતી. 'જ્યારે અમે વાતચીત શરૂ કરી, ત્યારે તેણે અમને શુદ્ધ અંગ્રેજીમાં જવાબ આપવાનું શરૂ કરતા અમે ચોંકી ગયાં. ત્યારબાદ તેને અમારા આશ્રમમાં લાવ્યા અને તેના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ''
સુરેન્દ્રએ વિકાસને કહ્યું કે, તેણે તેનું મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આઈઆઈટી-કાનપુર 1969 અને 1972 માં ડીએબી કોલેજ લખનૌથી એલએલએમ. તેમના પિતા 90 ના દાયકામાં બંધ થયેલી જેસી મિલમાં સપ્લાયર હતા..
Join Our WhatsApp Community