India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત

India LPG Supply:મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે 94,000 ટન ગેસનો જથ્થો 1 એપ્રિલ સુધીમાં ભારત આવશે; નૌસેનાની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા જહાજો.

by Janvi Soni
India LPG Crisis: 28 tankers stuck in Hormuz Strait; 94,000 tons of gas expected to arrive by April 1.

News Continuous Bureau | Mumbai
India LPG Supply: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની એનર્જી સપ્લાય ચેઈન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની માં ભારત આવતા કુલ 28 જહાજો ફસાયા હતા, જેમાંથી કેટલાકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. પોર્ટ્સ અને શિપિંગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એલપીજી (LPG) ભરેલા બે મહત્વના જહાજો ‘BW TYR’ અને ‘BW ELM’ ટૂંક સમયમાં ભારત પહોંચશે, જેનાથી દેશમાં ચાલી રહેલી ગેસની અછતમાં મોટી રાહત મળવાની આશા છે.

 હોર્મુઝમાં ફસાયેલા ભારતીય અને વિદેશી જહાજોની સ્થિતિ

શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે, હોર્મુઝમાં ફસાયેલા કુલ 500 જહાજોમાંથી ભારત આવતા 28 જહાજોનો સમાવેશ થાય છે. આમાં 18 ભારતીય ધ્વજ ધરાવતા અને 10 વિદેશી જહાજો છે. વિદેશી જહાજોમાં 3 LPG, 4 ઓઈલ ટેન્કર અને 3 LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) લાદેલા છે. ભારતીય જહાજોમાં પણ ક્રૂડ ઓઈલ અને ગેસનો મોટો જથ્થો છે. સરકારની પ્રાથમિકતા ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને આ ‘હાઈ રિસ્ક એરિયા’માંથી સુરક્ષિત બહાર કાઢવાની છે.

આ સમાચાર પણ વાંચો : Mahavir Jayanti 2026:મહાવીર જયંતી વિશેષ: આત્માથી પરમાત્મા સુધીની સફર! ભગવાન મહાવીરના જીવનના અણમોલ કિસ્સા અને પંચશીલ સિદ્ધાંતો.

 94,000 ટન ગેસનો જથ્થો ભારત પહોંચશે

અત્યાર સુધીમાં 8 ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ પૈકી ‘BW TYR’ 31 માર્ચના રોજ અને ‘BW ELM’ 1 એપ્રિલના રોજ ભારત પહોંચવાની અપેક્ષા છે. આ બંને જહાજોમાં કુલ 94,000 ટન એલપીજી લાદેલો છે. અગાઉ 26 માર્ચે પણ બે જહાજો આશરે 92,000 ટન ગેસ લઈને ભારત પહોંચ્યા હતા. ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ આ જહાજોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી લાવવામાં આવી રહ્યા છે, જેથી દેશના ઈંધણ પુરવઠાને કોઈ મોટી અસર ન થાય.

 ભારતની એનર્જી સુરક્ષા માટે હોર્મુઝનું મહત્વ

હોર્મુઝની સામુદ્રધુની ભારત માટે અત્યંત મહત્વની છે કારણ કે ભારતની કુલ એનર્જી સપ્લાયનો 50 ટકા હિસ્સો આ રસ્તેથી આવે છે. ખાસ કરીને ભારત જે એલપીજીની આયાત (Import) કરે છે તેનો મોટો ભાગ આ જળમાર્ગ પર નિર્ભર છે. વિશ્વના કુલ તેલ અને ગેસના વેપારનો 20 ટકા હિસ્સો હોર્મુઝમાંથી પસાર થાય છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આ વિસ્તાર અત્યંત જોખમી બની ગયો છે, જેના કારણે સપ્લાય ખોરવાતા ભારતના અનેક રાજ્યોમાં ગેસની અછત અને ભાવવધારાની સ્થિતિ સર્જાઈ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More