સ્પાઇસ જેટ બાદ હવે આ એરલાઇનની ફ્લાઈટમાં સર્જાઇ દુર્ઘટના- રનવે પરથી લપસી ગઈ ફ્લાઇટ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિગો(Indigo)ની ફ્લાઈટ સાથે ઘણી ઘટનાઓ બની છે. હવે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટ(flight)માં દુર્ઘટના(Accident) સર્જાઇ છે. ગુરુવારે ઇન્ડિગોની ફ્લાઇટ આસામ (Assam)ના જોરહાટ(Jorhat)થી કોલકાતા(Kolkata) માટે ઉડાન ભરી હતી. જ્યાં ફ્લાઇટ રનવે પરથી સરકી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

 

મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ડિગોની વિમાન આસામના જોરહાટથી બંગાળ(Bengal)ના કોલકાતા જઈ રહ્યું હતું. જો કે, જ્યારે તેને ટેક-ઓફ માટે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે પ્લેન લપસી ગયું હતું. આ પ્લેન રનવે પરથી સરકી જતાં કાદવમાં ફસાઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

આ દુર્ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. વિમાનને તપાસ માટે જોરહાટ પરત લઈ જવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં ફ્લાઈટમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More