Site icon

ખુશખબર / ફક્ત 1 રૂપિયાનું રોકાણ બનાવી દેશે લખપતિ, સારવાર માટે મળશે 2 લાખ રૂપિયા

સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરૂઆત કરી હતી. તેની સાથે જોડા પછી, જો તમને ગંભીર બીમારી થાય છે, તો તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. સ્કીમની ખાસ વાત એ છે કે તમારે તેમાં કંઈપણ ચૂકવવું પડતું નથી. તમે દર મહિને માત્ર 1 રૂપિયા જમા કરીને યોજનાનો લાભ લઈ શકો છો.

investment of only 1 rupee, will get 2 lakh rupees

ખુશખબર / ફક્ત 1 રૂપિયાનું રોકાણ બનાવી દેશે લખપતિ, સારવાર માટે મળશે 2 લાખ રૂપિયા

News Continuous Bureau | Mumbai

PMSBY: આજે પણ દેશમાં એવા કરોડો લોકો છે, જેઓ બીમાર હોય ત્યારે તેમની સારવાર પણ કરાવી શકતા નથી. કારણ કે તેમની પાસે ડોક્ટરોની ફી ભરવાના રૂપિયા નથી હોતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. તેની સાથે જોડા પછી, જો તમને ગંભીર બીમારી થાય છે, તો તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. સ્કીમની ખાસ વાત એ છે કે તમારે તેમાં કંઈપણ ચૂકવવું પડતું નથી. તમે દર મહિને માત્ર 1 રૂપિયા જમા કરીને યોજનાનો લાભ લઈ શકો છો.

Join Our WhatsApp Community

શું છે વીમા કવર મળવાની શરતો ? 

આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માં જોડાયા પછી, જો તમને ગંભીર અકસ્માત નડે છે અથવા અકસ્માતમાં મૃત્યુ પામો છો, તો સરકારી યોજના હેઠળ, તમારા પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. તેની સાથે આંશિક વિકલાંગતાના કિસ્સામાં પણ 1 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે. યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. સત્તાવાર વેબસાઈટ મુજબ, સ્કીમમાં સામેલ થવા માટે તમારે વાર્ષિક 12 રૂપિયા જમા કરાવવા પડશે. જ્યારે તમારા રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી દર મહિને એક રૂપિયો કપાશે.

આ દસ્તાવેજો જરૂરી

આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. તેની સાથે જ આધાર નંબરને બેંક ખાતા સાથે લિંક કરવો પણ જરૂરી છે. યોજના હેઠળ 1 જૂનથી 31 મે સુધી એક વર્ષ ગણવામાં આવે છે. રજીસ્ટ્રેશન દર મહિને રિન્યુ કરાવવાનું રહેશે. આપને જણાવી દઈએ કે, જો કોઈ વ્યક્તિનું જોઈન્ટ એકાઉન્ટ છે, તો આ સ્થિતિમાં તમામ ખાતાધારકો આ યોજનામાં જોડાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ ફક્ત બેંક ખાતા દ્વારા જ આ યોજનામાં જોડાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  એપ્રિલમાં પશ્ચિમ રેલવેના આર.પી.એફ દ્વારા મોટી કામગીરી, અનધિકૃત રેલ ટિકિટ દલાલો સામે કડક કાર્યવાહી. આટલા લાખ રૂપિયા નો મુદ્દામાલ ઝડપાયો.

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version