Site icon

શું તમે ટ્રેનમાં રેલવેનું ઘટીયા ખાવાનું ખાઈને કંટાળી ગયા છો- હવે આવું નહીં થાય-ઇસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટ ટ્રેનોમાં ખાવાનું પૂરું પાડશે-જાણો રેલવેની નવી યોજના વિશે

 News Continuous Bureau | Mumbai

IRCTC દ્વારા સંચાલિત રસોડાથી મળતું ખાવાનું અનેકને ફાવતું નથી. પરંતુ લાંબા અંતરની ટ્રેનો હોવાને કારણે લોકો પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. આ સંદર્ભે રેલવે વિભાગને વારંવાર અરજી અને ફરિયાદો આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી રેલવે વિભાગ(Railway Department) આ સંદર્ભે કોઈ યોગ્ય નિર્ણય લઈ શક્યું નથી. જોકે હવે  રેલવે વિભાગ દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરની(ISKCON Temple) ગોવિંદા રેસ્ટોરન્ટ(Govinda Restaurant)  સાથે રેલવે વિભાગે કરાર કર્યા છે. જે મુજબ હવેથી ટ્રેનની અંદર ગોવિંદા રેસ્ટોરન્ટ થી ખાવાનું આવશે. આ માટે હઝરત નિઝામુદ્દીન(Hazrat Nizamuddin) રેલ્વે સ્ટેશનથી(Railway station) પ્રયોગ શરૂ કરવામાં આવશે. તેમજ આવનારા સમયમાં જે જગ્યાએ ઇસ્કોન મંદિર હશે ત્યાં રેસ્ટોરન્ટ થી રેલ્વે  યાત્રીઓને(railway passengers) ખાવાનું પૂરું પાડવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં લગેજ માટે વધુ પૈસા ચૂકવવા પડશે એવા સમાચારોનું રેલવેએ કર્યું ખંડન-વહેતા થયેલા અહેવાલો પર કરી આ સ્પષ્ટતા- જાણો શું કહ્યું

ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટ પોતાના મજેદાર ભોજન માટે પ્રખ્યાત છે. અનેક લોકો ગોવિંદા માં જમવા માટે સપરિવાર આવે છે. હવે જોવાનું એ રહે છે કે રેલવે પોતાનું  રસોડું બંધ કરવાની હિંમત કરે છે કે નહીં.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version