સ્વાસ્થ્ય જાણકારી: ચૈત્રી નવરાત્રિના ઉપવાસ દરમિયાન શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે કરો આ પીણાંનો ઉપયોગ, મળશે ઘણા ફાયદા

by Dr. Mayur Parikh
Navratri 2023: some ways to boost energy levels while fasting

News Continuous Bureau | Mumbai

2જી એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. નવરાત્રિ દરમિયાન લોકો 9 દિવસ ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ફળોનું સેવન કરે છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે ફળોનો ત્યાગ કરે છે અને માત્ર પાણી, લીંબુ પાણી અથવા પ્રવાહીની મદદથી ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં તે લોકોના શરીરમાં પોષક તત્વો પહોંચી શકતા નથી. જેના કારણે તેઓ નબળાઈ અને થાક અનુભવે છે.જો તમે પણ ઉપવાસ દરમિયાન લિક્વિડ ડાયટ પસંદ કરો છો અને સોલિડ ફૂડથી દૂર રહો છો, તો તમારે હેલ્ધી ડ્રિંક્સ પીવું જરૂરી છે જેથી શરીર નબળું ન પડે. આજે અમે આ લેખ માં એવા ડ્રિંક્સ વિશે જણાવવા જય રહ્યા છે જે તમારા શરીર માં ઉપવાસ દરમિયાન પણ એનર્જી બનાવી રાખશે.

1. બનાના શેક

તમે ઉપવાસના દિવસોમાં બનાના શેક પણ પી શકો છો. તેનાથી તમારા શરીરને પોષણ તો મળશે જ પરંતુ પેટ પણ ભરાશે. આ એક હેલ્ધી શેક છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખશે.

2. નાળિયેર પાણી

નારિયેળ પાણી માત્ર ઉપવાસમાં જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં પણ પાણીની કમી પૂરી કરે છે. એન્ટીઓક્સીડેન્ટ ગુણોની સાથે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા અનેક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા પોષક તત્વો પણ મળે છે.

3. લીંબુ પાણી

લીંબુમાં વિટામિન-સી અને ઘણા ખનિજો મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે લીંબુનો ઉપયોગ પાણીમાં અથવા શરબત તરીકે પણ કરી શકો છો. ઉપવાસ દરમિયાન તમને હાઇડ્રેટ રાખવા ઉપરાંત તે એનર્જી આપવાનું પણ કામ કરશે.

4. તરબૂચનો રસ

ઉપવાસ દરમિયાન તાજા અને હાઇડ્રેટેડ રહેવા માટે, તરબૂચનું સેવન ચોક્કસ કરો. પાણીની ઉણપને પૂરી કરવાની સાથે તે આંખો, ત્વચા, હૃદય અને કિડનીને પણ સ્વસ્થ રાખે છે.

5. સફરજનનો  રસ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમે સફરજનનો રસ પણ પી શકો છો. તે તમને ઘણી ઉર્જા આપવાનું પણ કામ કરશે. જેના કારણે તમને વારંવાર ભૂખ નથી લાગતી.

6. છાશ

ઉપવાસ દરમિયાન છાશનું સેવન પણ કરી શકાય છે. તેમાં કેલ્શિયમ, રિબોફ્લેવિન, વિટામિન-બી6 અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે. જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે.

7. કેસર દૂધ

કેસરનું દૂધ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રીતે લોકો તેનું સેવન પણ કરે છે. તેમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ અને કેલ્શિયમ તમને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. તમારી ત્વચા માટે ફાયદાકારક હોવા ઉપરાંત, તે પાચન જેવી ઘણી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં આ રીતે કરો પાન નું સેવન; જાણો તેના આયુર્વેદિક ફાયદા વિશે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More