લો બોલો! હવે આ રાષ્ટ્રીય નેતાને મળશે ડૉક્ટરેટની પદવી, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી લેશે નિર્ણય; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા શરદ પવારને બહુ જલદી ડૉક્ટરેટની પદવીથી સન્માનવામાં આવવાના છે. શરદ પવારને સામાજિક, કૃષિ, શૈક્ષણિક અને રમતગમત સિવાય અન્ય ક્ષેત્રોમાં તેમણે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને આ ડિગ્રી આપવામાં આવવાની છે. સેનેટના સભ્ય પ્રોફેસર સચિન ગાયકવાડે તેમને સોલાપુરની દેવી અહિલ્યા દેવી હોલકર યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની પદવી આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

જબરદસ્ત! લોકલ ટ્રેનમાં થનારા આતંકી હુમલાથી પણ મળશે સુરક્ષા : તૈયાર થઈ રહી છે આ નવી ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ, શંકાસ્પદ લોકોને જોતાં જ વાગશે એલાર્મ; જાણો વિગત

જોકે આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવાનો અધિકાર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને છે. એથી આ પ્રસ્તાવ તેમની પાસે મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More