Site icon News Continuous Bureau | Mumbai

શું તમને નિપાહનાં લક્ષણ છે? આ સમાચાર તમારા માટે છે, માત્ર એક કલાકમાં નિદાન થશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

દેશમાં દરરોજ કોરોનાના લગભગ 40,000 કેસ મળી રહ્યા છે. કેરળમાં નિપાહ વાયરસ કોરોનાની વચ્ચે ફેલાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં 100થી વધુ બાળકો ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ડેન્ગ્યુનાં મોત ફિરોઝાબાદ જિલ્લામાંથી નોંધાયાં છે. નિપાહ વાયરસ ભારતમાં કોરોના વાયરસની જેમ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.

હવે નિપાહ વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને, ડ્રગ કંટ્રોલર ઑફ ઇન્ડિયાએ ગોવાના મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ દ્વારા આ વાયરસનું પરીક્ષણ કર્યું છે. આ કિટ કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ બાદ નિપાહ વાયરસ કેરળમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિપાહ વાયરસનું પરીક્ષણ કરવા માટે આ કિટનું નામ TrueNet રાખવામાં આવ્યું છે, જે RT-PCR પ્લૅટફૉર્મ પર આધારિત છે.

હિંદમાતાના ગણપતિ મંડળે સરકારનું વેંત ભરીને નાક કાપ્યું, એવી સજાવટ કરી કે મુંબઈ મહાનગરપાલિકા શરમાઈ ગઈ; જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

નિપાહ વાયરસનું પરીક્ષણ કરવા માટે ભારતમાં આ પ્રથમ ટેસ્ટ કિટ છે, જે સંપૂર્ણપણે બૅટરીથી ચાલે છે અને RT-PCR ટેક્નોલૉજી પર કામ કરે છે. આ કિટ દ્વારા લગભગ 30 રોગોનું પરીક્ષણ કરી શકાય છે અને તેનાં પરિણામો એક કલાકથી ઓછા સમયમાં બહાર આવે છે. ટીબી, કોરોના, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હિપેટાઇટિસ, એચપીવી જેવા રોગોનું આ કિટ દ્વારા પરીક્ષણ કરી શકાય છે.

 મીડિયા સાથે વાત કરતાં મોલબિયોના સીટીઓ ચંદ્રશેખર નાયરે કહ્યું કે આ ટેસ્ટ કિટને બ્રીફકેસમાં રાખીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. ચંદ્રશેખર નાયરના જણાવ્યા અનુસાર આ ટેસ્ટ કિટ આંતરરાષ્ટ્રીય બજારોમાં લઈ જવામાં આવી છે અને તેને દરેક જગ્યાએ પેટન્ટ રાખવામાં આવી છે. તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ ટેસ્ટ કિટ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તેનો ઉપયોગ ખૂબ જ ઓછા સમયમાં તાલીમ લીધા પછી પણ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસનો પ્રથમ કેસ કેરળના કોઝિકોડમાં નોંધાયો હતો. આ વાયરસ સૌપ્રથમ 2001માં સિલીગુડીમાં, ત્યારબાદ 2007માં પશ્ચિમ બંગાળ અને 2018માં કેરળના કોઝિકોડ અને મલ્લપુરમમાં જોવા મળ્યો હતો.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ અભિનેત્રી છે કરોડોની માલિક; જાણો તેની પહેલી કમાણી કેટલી હતી   

કોરોનાની વાત કરીએ તો કોરોનાથી દેશમાં કેરળમાં સૌથી વધુ કેસ મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી 60 ટકાથી વધુ કેસ એકલા કેરળમાંથી આવી રહ્યા છે. કેરળમાં દરરોજ સરેરાશ 30,000થી વધુ નવા કોરોના કેસ મળી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કેરળમાં બીજો વાયરસ ઝડપથી ફેલાય તો પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની શકે છે. નિપાહ વાયરસને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ છે.

Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Malad Digital Arrest Scam મલાડના નિવૃત્ત વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના નામે ડરાવી ₹૪૧.૫૦ લાખ પડાવ્યા; વસઈથી બે શખ્સો ઝડપાયા
Sonu Nigam Health Update કોન્સર્ટ પહેલા સોનુ નિગમની હેલ્થ અપડેટ સિંગરની અચાનક તબિયત બગડતાં મેડિકલ ટેસ્ટ કરાયા, ફેન્સ કરી રહ્યા છે સાજા થવાની પ્રાર્થના
Google Maps Glitch ગૂગલ મેપના ભરોસે રહેવું પડ્યું ભારે નાળામાં કાર ખાબકતા 4 લોકો ફસાયા, 2 કલાક બાદ રેસ્ક્યુ કરીને બચાવાયા
Exit mobile version