ગામ પહોંચવાની કેવી તાલાવેલી? એક ભાઈ બારીમાંથી ચડ્યા, એક ટાટીયો અંદર અને એક ટાંટીયો બહાર! પણ નીકળ્યા ગોરખપુર…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

શુક્રવાર

દેશભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. મુંબઈ અને ખાસ કરી મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પહેલાં નાઈટ કર્યુઈ  ત્યારબાદ વીકએન્ડ લોકડાઉન અને ખાનગી ક્ષેત્ર બંધ કરવા જેવા પગલાં રાજ્ય સરકારે લીધા છે. 

હવે આ સ્થિતિ જોતા મજૂરોએ ફરી પોતાના વતન પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. ગોરખપુર જતી ટ્રેનની આ એક તસવીર મજૂરોની સ્થિતિ વર્ણવે છે. એક પ્રવાસી ટ્રેનમાં જગ્યા ન મળતા, બારીમાંથી અંદર જવાનો પ્રયાસ કરે છે અને એક જ પગ અંદર રાખીને પણ ગોરખપુરનો પ્રવાસ કરવા નીકળી પડ્યો છે. 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતાર જણાવે છે કે ઉત્તર ભારત તરફ રોજ ૪૨-૪૫ ટ્રેનો જાય છે. આ તરફ જતી ટ્રેનોમાં ભીડ ફરી વધવા લાગી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે એક ટ્રેનમાં ૧૪૦૦-૧૫૦૦ લોકો પ્રવાસ કરે છે. પહેલાં ૩૦૦૦ લોકો પ્રવાસ કરતા હતા, જેમાં વેઈટિંગ ટીકીટવાળા પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More