News Continuous Bureau | Mumbai

Palitana: ભાવનગર ( Bhavnagar ) જિલ્લાના પાલીતાણામાં તળેટી ખાતે મુકેશધામ મધ્ય શંખ આકાર દેરાસર ખાતે નૂતન પ્રતિમાનો ૪૯૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારમાં નગર પ્રવેશ થયો હતો. આ પ્રતિ। મહોત્સવમાં સહભાગી થવા દેશભરમાંથી શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટયા પડયા હતા.

Palitana: શંખાકાર જિનાલય પાલીતાણા ખાતે પૂજય આચાર્ય શ્રીમદ્દ વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા., પૂજય મુનિરાજ જયભદ્ર વિજયજી મહારાજ કેવલ પૂર્ણ ને વિજયજી મહારાજની પાવન નિશ્રામાં પ્રતિ । ને મહોત્સવનો ગત તા.૨૨ થી પ્રારંભ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારેય ધામોના પરિસરમાં આ વસ્તુ પર પ્રતિબંધ, રીલ કે વીડિયો બનાવવા પર થશે કડક કાર્યવાહી..

Palitana: તા.૨૭ ના રોજ નૂતન આઠ ભગવાનનો નગર પ્રવેશ વૈભવી વિન્ટેજ કારમાં થયો હતો. બપોરે ૧૮ અભિષેક, રાત્રીના ભાવના સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

Palitana: સંઘવી પ્રતિભાબેન મુકેશભાઈ, ડો. મુકેશભાઈ સોમચંદ શાહ પરિવાર તેમજ મંગળ દાતા પરિવારોએ ધર્મલાભ લીધો હતો. શંખાકાર જિનાલયમાં ડો. મુકેશભાઈ શાહના અષ્ટસ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.