Site icon

પોલેટ્રી ફાર્મને નડ્યો બર્ડ ફ્લૂ.. લોકોએ મરધી ખાવાનું બંધ કર્યું.. આટલા ટકા ઓછી મરઘીઓ કપાઈ.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

13 જાન્યુઆરી 2021 

દેશના કેટલાક ભાગોમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યા પછી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ચિકનનું વેચાણ ઘટ્યું છે. ચિકન કંપનીઓના વેચાણમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં 20 ટકાનો ઘટાડો આવી રહ્યો છે. ઇંડાના જથ્થાબંધ ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. જોકે છૂટક કિંમતો હજુ મામુલી જ નીચે આવી છે. 

દક્ષિણ ભારતમાં પણ ચિકનનું વેચાણ 30 ટકા ઘટ્યું છે. મીડિયાના અહેવાલો મુજબ,  જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વેચાણમાં 50 થી 60 ટકાનો ઘટાડો થયો છે. રાષ્ટ્રીય એગ કો-ઓર્ડિનેશન કમિટીએ ઉત્તર ભારતમાં ખાવાના ચિકનના ભાવમાં 30 ટકાનો ઘટાડો કરી રૂ. 70 કરી દીધો છે. તે જ સમયે, ઇંડાનો ભાવ ઇંડા દીઠ સાત ટકાનો ઘટાડો કરીને સાડા પાંચ થી 4 રૂપિયા થયો છે. જોકે 

પોલ્ટ્રી ફેડરેશન ઓફ ઇન્ડિયા કહે છે કે બર્ડ ફ્લૂ સંબંધિત હકીકત કરતા અફવાઓ વધુ ફેલાઈ રહી છે, જેથી ચિકન અને ઇંડાનું વેચાણ અડધું થઈ ગયું છે. પોલ્ટ્રી ફાર્મર્સ એસોસિએશને કહ્યું છે કે 2006 પછીથી બર્ડ ફ્લૂ મરઘા ઉદ્યોગ માટે ચિંતાનું કારણ બની ગયું છે. જોકે, ભારતમાં પક્ષીઓમાંથી મનુષ્યમાં હજી સુધી બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી. 

અત્યાર સુધીમાં કેરળમાં બર્ડ ફ્લૂનો કેસ સામે છે. જોકે આ વખતે બર્ડ ફ્લૂનો રોગ મરઘાં કરતાં કાગડા, બતકોમાં જ જોવા મળ્યો છે. 2006 માં દેશમાં બર્ડ ફ્લૂ રોગ સૌપ્રથમ જોવા મળ્યો હતો. તે સમયે, મહારાષ્ટ્રના નંદુરબારમાં બર્ડ ફ્લૂનો કેસ સામે આવ્યા બાદ હજારો પક્ષીઓ મારી નાખવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે સરકારી આરોગ્ય તંત્ર ખુબજ સજાગ હોવાથી બર્ડ ફ્લૂના કેસો જલ્દી કાબૂમાં આવી ગયાં છે.

Dominos Free Pizza Offer: પિઝા પ્રેમીઓ માટે જલસો! Domino’s એક વર્ષ સુધી ખવડાવશે ફ્રી પિઝા, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Exit mobile version