ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20સપ્ટેમ્બર, 2021
સોમવાર
લૉકડાઉન દરમિયાન રેલવેએ ઘણી પૅસેન્જર ટ્રેનો રદ કરી હતી, જેને લીધે પ્રવાસીઓને ભારે હાલાકી થઈ હતી. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે. તેથી પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રદ કરાયેલી ટ્રેનોને રવિવારથી ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં પૂર્વ- મધ્ય રેલવે હેઠળ દોડતી ૧૨ જોડી પૅસેન્જર ટ્રેનો એટલે કે ૨૪ પૅસેન્જર ટ્રેનો ફરીથી શરૂ થઈ ગઇ છે. બિહારથી ઓછા અંતરનો પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ ૨૪ ટ્રેનો શરૂ થવાથી લાભ મળશે.
ઘણી બધી પાબંદી હોવા છતાં મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન આટલા બધા લોકોના થયા મૃત્યુ જાણો વિગતે
આ ટ્રેનોમાં ગયા-ડિડિયુ મેમુ પૅસેન્જર,
બરૌની-સમસ્તીપુર, બરૌની- કટિહાર,
કટિહાર-સમસ્તીપુર, બરૌની- પટના,
સમસ્તીપુર- સહરસા, કોડરમા- બરકકાના, કોડરમા- મહેશમુંડા, દરભંગા-જયાનગર, સમસ્તીપુર-જયાનગર ઝાઝા-પટના, પટના-ઇસ્લામપુર આ ૧૨ પૅસેન્જર ટ્રેનોની જોડીનો સમાવેશ થાય છે.