Site icon

અમદાવાદમાં તાઉતે વાવાઝોડાનું જોર યથાવત્; આગામી કલાકો અતિમહત્વના, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉતે વાવાઝોડું અમદાવાદ પહોંચી ચૂક્યું છે. એને કારણે અમદાવાદીઓ માટે આગામી છથી આઠ કલાક અતિમહત્વપૂર્ણ છે, એવું જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ મીડિયાને જણાવ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં ૩૮ કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આગામી છથી આઠ કલાક અમદાવાદ માટે અગત્યના છે. અમદાવાદમાં ભારે પવન અને વરસાદ થશે એમ કહેવાઈ રહ્યું છે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૩૫ જેટલા શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લોકોને સ્થળાંતર કરાયા છે. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વીજળીની પણ સમસ્યા નિર્માણ થઈ છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version