Site icon

અમદાવાદમાં તાઉતે વાવાઝોડાનું જોર યથાવત્; આગામી કલાકો અતિમહત્વના, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉતે વાવાઝોડું અમદાવાદ પહોંચી ચૂક્યું છે. એને કારણે અમદાવાદીઓ માટે આગામી છથી આઠ કલાક અતિમહત્વપૂર્ણ છે, એવું જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ મીડિયાને જણાવ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં ૩૮ કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આગામી છથી આઠ કલાક અમદાવાદ માટે અગત્યના છે. અમદાવાદમાં ભારે પવન અને વરસાદ થશે એમ કહેવાઈ રહ્યું છે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૩૫ જેટલા શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લોકોને સ્થળાંતર કરાયા છે. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વીજળીની પણ સમસ્યા નિર્માણ થઈ છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે.

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version