Site icon News Continuous Bureau | Mumbai

એઈડ્સ જેવા અસાધ્ય રોગને માત આપનાર વિશ્વના એક માત્ર વ્યક્તિનું 54 વર્ષે અવસાન થયું.. જાણો એઇડ્સ નહીં પણ એવા ક્યા રોગને કારણે તેનું મૃત્યુ થયું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓક્ટોબર 2020

સામાન્ય સંજોગોમાં કહેવાય છે કે જેને HIV થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ એચ.આય.વી.નો ઇલાજ કરાવનાર પ્રથમ વ્યક્તિ ટિમોથી રે બ્રાઉનનું  54 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ટીમોથીને એક એવા માણસ તરીકે યાદ રાખવામાં આવશે. જેણે વિશ્વભરના લોકોને આશા આપી હતી કે એચ.આય. વીનો ઉપચાર શક્ય છે. પરંતુ તેઓ કેન્સર ને કારણે મૃત્યુ પામ્યા..

શ્રી બ્રાઉન, સિએટલનો વતની, 1995 માં બર્લિનમાં યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો, જ્યારે તેણે હ્યુમન ઇમ્યુનોડિફિસિએશન વાયરસ અથવા એચ.આય.વી, માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું. 1995 પછી લ્યુકેમિયાનું પણ  નિદાન થયાં બાદ, 2007માં અસ્થિ મજ્જા સ્ટેમ સેલ્સનું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.. ટિમોથી ના મોત નું કારણ કેન્સર એ ફરી ઉથલો માર્યો હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે 2007માં તિમોથીને બોનમેરો અને સ્ટેમસેલ નો પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે સંશોધકોને લાગતું હતું કે આ ઈલાજથી તેઓ લાંબુ જીવશે નહીં.  પરંતું ત્યાર બાદ તેઓ 2020 સુધી જીવ્યાં જે એક વિશ્વ વિક્રમ ગણાય છે.

 

ટિમોથી રે બ્રાઉનનો જન્મ 11 માર્ચ, 1966 ના રોજ સિએટલમાં થયો હતો, અને તેની ઉછેર તેની એકલી માતા શેરોન બ્રાઉન દ્વારા કરવામાં આવ્યો હતો..

Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Exit mobile version