આજે ઉત્તર ભારતમાં અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળાને શ્રાવણની સંધિવેળા કહેવામાં આવે છે. શ્રાવણ, માત્ર એક મહિનો નથી. આ 30 દિવસનો સમયગાળો પરમાત્મા, પ્રકૃતિ અને પ્રેમની નજીક પહોંચવાનો છે. આ મહિનો શિવનો છે. શ્રાવણ ચાતુર્માસનો પહેલો મહિનો હોય છે. અહીંથી જ ભગવાનની ભક્તિ અને ઉત્સવોની ચાર મહિનાની સતત ચાલતી શ્રૃંખલા શરૂ થાય છે. શ્રાવણ આવતાં જ બધા ઉત્સવના મૂડમાં આવી જાય છે. હિંદુ કેલેન્ડરમાં પાંચમો મહિનો શ્રાવણ હોય છે. શિવ પુરાણ પ્રમાણે આ મહિનો શિવની નજીક આવવાનો સૌથી સારો સમય છે. દરવર્ષે શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરે દર્શન કરવા જાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેમજ ભીડ એકત્રીત ન થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નહીં તેમજ બહારથી આવતા યાત્રીકોએ લીંક મારફત આગોતરી નોંધ કરાવીને દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયેલ છે…
આજનો શુભ દિવસ – શ્રાવણ માસનો શુભારંભ
આજે ઉત્તર ભારતમાં અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળાને શ્રાવણની સંધિવેળા કહેવામાં આવે છે. શ્રાવણ, માત્ર એક મહિનો નથી. આ 30 દિવસનો સમયગાળો પરમાત્મા, પ્રકૃતિ અને પ્રેમની નજીક પહોંચવાનો છે. આ મહિનો શિવનો છે. શ્રાવણ ચાતુર્માસનો પહેલો મહિનો હોય છે. અહીંથી જ ભગવાનની ભક્તિ અને ઉત્સવોની ચાર મહિનાની સતત ચાલતી શ્રૃંખલા શરૂ થાય છે. શ્રાવણ આવતાં જ બધા ઉત્સવના મૂડમાં આવી જાય છે. હિંદુ કેલેન્ડરમાં પાંચમો મહિનો શ્રાવણ હોય છે. શિવ પુરાણ પ્રમાણે આ મહિનો શિવની નજીક આવવાનો સૌથી સારો સમય છે. દરવર્ષે શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરે દર્શન કરવા જાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેમજ ભીડ એકત્રીત ન થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નહીં તેમજ બહારથી આવતા યાત્રીકોએ લીંક મારફત આગોતરી નોંધ કરાવીને દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયેલ છે…