આજનો શુભ દિવસ – શ્રાવણ માસનો શુભારંભ

by Dr. Mayur Parikh

આજે ઉત્તર ભારતમાં અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત  સહિત દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળાને શ્રાવણની સંધિવેળા કહેવામાં આવે છે. શ્રાવણ, માત્ર એક મહિનો નથી. આ 30 દિવસનો સમયગાળો પરમાત્મા, પ્રકૃતિ અને પ્રેમની નજીક પહોંચવાનો છે. આ મહિનો શિવનો છે. શ્રાવણ ચાતુર્માસનો પહેલો મહિનો હોય છે. અહીંથી જ ભગવાનની ભક્તિ અને ઉત્સવોની ચાર મહિનાની સતત ચાલતી શ્રૃંખલા શરૂ થાય છે. શ્રાવણ આવતાં જ બધા ઉત્સવના મૂડમાં આવી જાય છે. હિંદુ કેલેન્ડરમાં પાંચમો મહિનો શ્રાવણ હોય છે. શિવ પુરાણ પ્રમાણે આ મહિનો શિવની નજીક આવવાનો સૌથી સારો સમય છે. દરવર્ષે શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરે દર્શન કરવા જાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેમજ ભીડ એકત્રીત ન થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નહીં તેમજ બહારથી આવતા યાત્રીકોએ લીંક મારફત આગોતરી નોંધ કરાવીને દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયેલ છે…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More