એડમિશન રદ કરનારા વિદ્યાર્થીઓને UGCએ આપી આ રાહત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(University Grants Commission) (UGC)એ વિદ્યાર્થીઓને(Students) મોટી રાહત આપી છે. UGC એ જાહેર કર્યું છે કે જો વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાંથી(higher educational institutions) પ્રવેશ રદ કરે અથવા પાછું ખેંચશે તો સંબંધિત વિદ્યાર્થીએ તેની સંપૂર્ણ ફી પરત કરવામાં આવશે.

UGC જો કે સ્પષ્ટતા કરી છે કે જો વિદ્યાર્થીઓ 31મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર 2022ની વચ્ચે તેમનો પ્રવેશ પાછો ખેંચી લેશે તો 1,000થી વધુ રકમ બાદ કર્યા બાદ સંબંધિત વિદ્યાર્થીને ફી પરત કરવામાં આવશે. વાલીઓને આર્થિક સમસ્યાઓથી(financial problems) બચવા માટે UGCએ આ મોટો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. એટલે કે જો 31 ઓક્ટોબર સુધીમાં એડમિશન કેન્સલ(Admission cancel)  થશે તો સમગ્ર ફી પરત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  નાગિન ડાન્સ દરમિયાન અચાનક આ શું- મારામારી કરવા લાગ્યા બે યુવક- જુઓ વાયરલ વિડીયો

કોરોના મહામારી(Corona epidemic) સમયમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી ત્યારે વિદ્યાર્થીઓના વર્ગો ઓફલાઈન હતા ત્યારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ હોસ્ટેલ અને મેસની ફી વસૂલ કરી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓએ આ અંગે ફરિયાદ કરી હતી, તેથી UGCએ નિર્દેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓના નાણાં શક્ય તેટલી વહેલી તકે પરત કરવામાં આવે અથવા અગાઉની ફીને  વર્તમાન ફીમાં એડજસ્ટ કરવામાં આવે.

જો 31મી ઓક્ટોબરની અંતિમ તારીખ બાદ પ્રવેશ પરત ખેંચવામાં આવશે તો વિદ્યાર્થીની ફીમાંથી રૂ.1 હજાર કપાશે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More