Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ પદ્મવિભૂષણ લેખકનો ૧૦૦મા વર્ષમાં પ્રવેશ; ૯૯ દીવા પ્રગટાવી કરાયા સન્માનિત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઇતિહાસનું ઊંડું જ્ઞાન ધરાવતા પદ્મવિભૂષણ શિવશાહીર બાબાસાહેબ પુરંદરે 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સંદર્ભે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું છે કે મહત્વાકાંક્ષી અને કલાપ્રેમી માણસ કદી સંપૂર્ણ રીતે સંતુષ્ટ થતો નથી. 99 વર્ષની ઉંમરે, ભગવાને મને ઘણું પ્રાપ્ત કરવાની શક્તિ આપી. હું પ્રયત્ન કરતો રહ્યો. છત્રપતિ શિવાજી મહારાજને સમજવા એ એક મોટો વિષય છે. એથી મેં તેમના વિશે અભ્યાસ કરીને, વાંચીને, લખીને કંઈક બનાવવાનો પ્રયાસ કર્યો છે. છતાં હજી ઘણું સમજવાનું બાકી છે. એથી જ હું 99 વર્ષની ઉંમરે ખુશ છું; પણ સંતોષ થયો નથી. મારો ભારતમાં પુનર્જન્મ થવો જોઈએ અને જે કાર્ય અધૂરું છે એ પૂર્ણ થવું જોઈએ.

શિવશાહીર બાબાસાહેબ પુરંદરે ૮૦ વર્ષની ઉંમર સુધી શિવચરિત્ર ફેલાવવાની કામગીરી કરી હતી. તેમણે પોતાના જીવનકાળમાં પાંચ લાખ કિલોમીટરની સફર કરી છે. ઉપરાંત 'રાજા શિવછત્રપતિ' પુસ્તકની 17 આવૃત્તિઓ બહાર પાડવા ઉપરાંત વિશ્વભરમાં25,000 પ્રવચનો પણ આપ્યાં છે. તેમણે એશિયાના બીજા ક્રમના મહાનાટક જાણતા રાજાના ૧૨૦૦ જેટલા સફળ શો પણ કર્યા છે. તેમની જન્મશતાબ્દી નિમિત્તે મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી અને ઇતિહાસપ્રેમી મંડળ દ્વારા 99 દીવા પ્રગટાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુંબઈમાં લોકલમાં પ્રવાસ અને પ્રતિબંધો હળવા થવાની લોકોની આશા પર ફરી વળ્યું પાણી, જાણો કેમ

ઉલ્લેખનીય છે કે તેમના સન્માનમાં પ્રોફેસર અક્ષય શાહપુરકર અને 'શ્રીરંગ કલાદર્પણ'ના સાત કલાકારોએ 27 કલાકમાં 20 બાય 15 ફૂટની રંગોળી બનાવી હતી. રંગોળીમાં બાબાસાહેબનું ચિત્ર અને તેમના શિવચરિત્ર પ્રસારના પાસાને દર્શાવવામાં આવ્યું છે.

Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Exit mobile version