Site icon News Continuous Bureau | Mumbai

શોકિંગ- મુંબઈની આ હોસ્પિટલમાંથી પાંચ વર્ષમાં આટલા દર્દી ભાગી છૂટ્યા

News Continuous Bureau | Mumbai

સરકાર ક્ષય રોગ(Tuberculosis) સામે લડવા માટે ગમે તેટલા પૈસા ખર્ચે, પરંતુ જો દર્દી સારવાર(Patient treatment) પૂરી ન કરે તો તે બધું વ્યર્થ છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાડા ચારસોથી વધુ ટીબીના દર્દીઓ(TB patients) હોસ્પિટલ છોડીને ભાગી ગયા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

Join Our WhatsApp Channel

આરટીઆઈમાં(RTI) મળેલી માહિતી અનુસાર 5 વર્ષમાં શિવડીની ટ્યુબરક્યુલોસિસ હોસ્પિટલમાંથી(Tuberculosis of Sewri Hospital) તબીબી સલાહ લઈને 3000 દર્દીઓ ઘરે ગયા છે. કેટલાક દર્દીઓ સારવાર અડધી છોડીને હોસ્પિટલમાંથી ભાગી ગયા છે.  દર્દીઓ આવું કરે છે તેનું મુખ્ય કારણ તેમની એકલતા હોવાનું માનવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 2017 થી માર્ચ 2022 ની વચ્ચે ટીબીના 2,961 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે તબીબી સલાહ પર ઘરે ગયા, જ્યારે 468 દર્દીઓ સારવાર અધવચ્ચે છોડીને ભાગી ગયા હતા. ટ્યુબરક્યુલોસિસ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર રોગની ગંભીરતાને ધ્યાનમાં લઈને દર્દીને કેટલાક મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે.
ડોકટરોના મતે, માત્ર દર્દીઓને ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી(Drug-resistant TB) થવાનું જોખમ નથી પણ તેમના સંબંધીઓ અને અન્ય લોકોને પણ ચેપ લાગી શકે છે. દર્દીઓ જ્યારે ઘરે જવાનો આગ્રહ રાખે છે ત્યારે અમે કાઉન્સિલ કરીએ છીએ, પરંતુ સગાંવહાલાં અને બહારની દુનિયાના આકર્ષણને કારણે તેઓ તબીબી સલાહ લઈને ઘરે પાછા ફરે છે. હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે ઘરે પરત ફરતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ગણેશોત્સવમાં લાઉડ સ્પીકર વગાડો છો- તો આ નિયમોનું રાખજો ધ્યાન નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો  

2017-18માં 461 દર્દીઓને રજા આપવામાં આવી હતી. 2018-19માં આ સંખ્યા વધીને 853 થઈ ગઈ છે. 2019-20 અને 2020-21માં દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ 2021-22માં ફરી વધારો થયો હતો. 2021-22માં આ દર્દીઓની સંખ્યા વધીને 538 થઈ ગઈ..
 

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version