Site icon News Continuous Bureau | Mumbai

ખાડાઓ બન્યા વિલન- મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક જ દિવસમાં આટલા લોકોનો લેવાયો ભોગ

News Continuous Bureau | Mumbai

મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) દિવસેને દિવસે વધુ જોખમી બની રહ્યો છે. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું (businessman Cyrus Mistry) મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર ચાર સપ્ટેમ્બરના થયેલા એક્સિડન્ટમાં(Road accident) મૃત્યુ થયો હોવાનો બનાવ તાજો છે. ત્યાં હવે ફરી એક વખત આ હાઈવે લોકોનો જાનનો દુશ્મન બન્યો હોવાનું જણાઈ આવ્યું છે. હાઈવે પર પાલઘરમાં(Palghar) બે જુદા જુદા એક્સિડન્ટમાં પાંચના મોત થયા છે.

Join Our WhatsApp Channel

મળેલ માહિતી મુજબ પાલઘર જિલ્લામાં હાઈવે પર મંગળવારે આ દુર્ઘટના બની હતી, જેમાં બે કારના એક્સિડન્ટમાં(car accident) ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત થયા હતા. વાહનચાલકોના આરોપ મુજબ હાઈવે પર રહેલા ખાડાઓ એક્સિડન્ટ(potholes) માટે કારણભૂત બની રહ્યા છે.

તલાસરી પોલીસના(Talasari Police) કહેવા મુજબ મહારાષ્ટ્ર-ગુજરાતની(Maharashtra-Gujarat) હદ પર તલાસરી તાલુકામાં આવતા હાઈવે પર આમગાવ નામના ગામમાં બે એક્સિડન્ટ થયા હતા, જેમાં વાહનચાલક મુંબઈથી ગુજરાત જઈ રહ્યો હતો અને આમગાવ પાસે ગાડી પર નિયંત્રણ ગુમાવી દીધો હતો અને ડીવાઈડર જંપ કરીને ટેમ્પો સાથે ભટકાઇ હતી જેની માટે રસ્તા પર ખાડાને જવાબદાર માનવામાં આવે છે. એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ખાડાને કારણે વાહનચાલકો ગાડી પરનો નિયંત્રણ ગુમાવી દેવાનો બનાવ બનતો હોય છે. બીજા બનાવમાં મુંબઈથી ગુજરાત જતી કાર ટેમ્પો સાથે અથડાઈ હતી અને ઘટના સ્થળે જ બેના મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા શિવસેનાનો મરણિયો પ્રયાસ- મંજૂરી મેળવવા મૂકી હાઇકોર્ટમાં દોડ- અરજી પર  આ તારીખે થશે સુનાવણી

સાયરસ મિસ્ત્રીના એક્સિડેન્ટલ મૃત્યુ બાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ નેશનલ હાઈવે ઓથોરીટીએ(District and National Highway Authority) તાજેતરમાં 110 કિલોમીટરના પટ્ટામાં ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વાહનચાલકોએ ફરિયાદ કરી હતી.

Goregaon West Truck Accident ગોરેગાંવ વેસ્ટમાં રામ મંદિર સિગ્નલ નજીક ટ્રક મેટલ સ્ટ્રક્ચર સાથે અથડાઈ; રસ્તા પર કાટમાળ પડતાં ભારે અફરાતફરી
Mumbai FDA Suspends Hotel Licenses FDAની લાલ આંખ, ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈની ચાર જાણીતી હોટેલોના લાયસન્સ સસ્પેન્ડ
Metro 4 and 4A Thane ટ્રાફિકના જામમાંથી મળશે મુક્તિ! ‘મેટ્રો ૪’ અને ‘૪A’ના ગાયમુખકેડબરી જંક્શન રૂટને મળી લીલી ઝંડી, જાણો ક્યારથી શરૂ થશે સેવા
Mumbai Mega Block Weekend ઘરની બહાર નીકળતાં પહેલાં ખાસ વાંચો, રવિવારે મુંબઈમાં ત્રણેય રેલવે લાઇન પર મેગાબ્લોક, અનેક લોકલ ટ્રેનો થશે રદ
Exit mobile version