Site icon

મલાડ બાદ મુંબઈ મહાનગરપાલિકા હવે કરશે આ મોટા વોર્ડનું વિભાજન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,6 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

 ગુરુવાર. 

મુંબઈમાં મલાડ બાદ હવે કુર્લા- એલ વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે. કુર્લા-એલ વોર્ડમાં કુલ 16 નગરસેવકનો સમાવેશ થાય છે. એલ વોર્ડના બે વોર્ડમાં ટુકડા કરીને એલ-સાઉથ અને એલ-નોર્થ એમ બે વોર્ડ બનાવવામાં આવશે.

એલ-સાઉથની ઓફિસ હાલ જયાં એલ વોર્ડની ઓફિસ છે ત્યાં જ રહેશે. જયારે એલ-નોર્થની ઓફિસ ચાંદીવલીમાં બિલ્ડિંગ પ્રપોઝલની ઓફિસમાં બનાવાશે.

એલ વોર્ડની કુલ જનસંખ્યા 8,99,042 છે. તેની સામે પાલિકાના એલ-વોર્ડની યંત્રણા અપૂરતી સાબિત થઈ રહી છે. તેથી પ્રશાસકીય સહિત અન્ય કામ ઝડપથી થઈ શકે તે માટે એલ-વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે.

હાલ એલ-વોર્ડમાં 156થી 171 એમ કુલ 16 વોર્ડ છે. 16 વોર્ડને એલ-નોર્થ અને એલ-સાઉથમાં વહેંચી નાખવામાં આવશે.

મુંબઈગરાઓ સાવચેત રહેજો, માત્ર 15 દિવસમાં કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા 300 થી વધીને 15 હજાર થઈ; જાણો છેલ્લા 2 સપ્તાહના ડરામણા આંકડા 

એલ-વોર્ડના વિભાજન બાદ કે-પૂર્વ વોર્ડનું પણ વિભાજન કરવાની પાલિકાની યોજના છે. કે-પૂર્વનું ઉત્તર અને દક્ષિણ વોર્ડમાં વિભાજન કરવામાં 
આવશે. આ વોર્ડમાં વિલેપાર્લે(પૂર્વ), અંધેરી(પૂર્વ) અને જોગેશ્ર્વરી(પૂર્વ)નો વિસ્તાર આવે છે. આ વોર્ડની સંખ્યા 8,23,885 છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version