શું તમને ખબર છે મુંબઈના વાતાવરણમાં આટલી ધૂળ કેમ છે? આ દેશની આ રેતીની ડમરીઓને કારણે બધું થયું છે; જાણો વિગત,

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

સોમવાર.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સર્જાયેલા ધૂળના તોફાનને કારણે મુંબઈના વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો હતો. મુંબઈગરાને રવિવારની સવારના વાતાવરણ એકદમ ધૂળિયું અને ધુંધળું જોવા મળ્યું હતું. જાણે મુંબઈના માથા પર કોઈએ ધૂળની ચાદર ઓઢાવી નાખી હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્તાનમાં ધૂળનું તોફાન સર્જાયું હતું. વેસ્ટર્ન ટર્ફ અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે આ ધુળિયુ તોફાન સર્જાયું હતું

શનિવારના મુંબઈના અમુક વિસ્તારમાં હળવા વરસાદ બાદ રવિવારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ વાતાવરણ એકદમ ધૂંધળું થઈ ગયું હતું. વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ હતી. ચારે તરફ જાણે ધૂળ હોય એવું આખો દિવસ સુસ્ત વાતાવરણ રહ્યું હતું. રવિવારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 333 જેટલો રહ્યો હતો.

તાડદેવ વિસ્તારની દોઝારી આગની દુઘર્ટનાનો મૃત્યુઆંક સાત થયો, ગુજરાતી યુવકના મૃતદેહની ઓળખ આવી રીતે કરાશે; જાણો વિગત

હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્તાનથી ગુજરાતના સૌરાષ્ટ્ર પરથી પસાર થઈને મુંબઈ સહિત ઉત્તર્ કોંકણ સુધી તે આવી પહોંચ્યું હતું. જોકે હવામાન ખાતાના કહેવા મુજબ તેની અસર ટૂંકા ગાળાની હતી. તેથી સોમવારે મુંબઈનું વાતાવરણ મહમદઅંશે ફરી ચોખ્ખું જણાયું હતું. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More