Site icon

પરમબીર સિંહ પર શમશેર ખાન પઠાણનો મોટો આક્ષેપ; 26/11 હુમલાના આરોપી કસાબનો ફોન આ રીતે નષ્ટ કર્યો: જાણો સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 26 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે હવે એક મોટા આરોપનો સામનો કરવો પડ્યો છે. તે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ સાથે સંબંધિત છે. પરમબીર સિંહ પર વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલામાં પકડાયેલા જીવતા આતંકવાદી કસાબ પાસેથી જપ્ત કરાયેલ મોબાઈલ ફોનનો નાશ કરવાનો આરોપ છે. એવો આરોપ મુંબઈ પોલીસમાંથી નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર શમશેર ખાન પઠાણે લગાવ્યો છે.

 શમશેર ખાન પઠાણે દાવો કર્યો છે કે 26/11ના આતંકવાદી હુમલાના આરોપી મોહમ્મદ અજમલ કસાબ પાસેથી જપ્ત કરાયેલ મોબાઈલ ફોન નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. જુલાઈમાં પઠાણે મુંબઈ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી હતી. જેમાં સમગ્ર મામલાની તપાસ અને પરમબીર સિંહ વિરુદ્ધ જરૂરી કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. 26/11ના આતંકી હુમલાની વરસી અને પરમબીર સિંહ લગભગ છ મહિના પછી મુંબઈ પરત ફર્યા બાદ આ મામલાએ ફરી એકવાર જોર પકડ્યું છે.

ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલનો વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨ સંદર્ભે દિલ્હીમાં ભવ્ય રોડ-શો

જોકે પરમબીર સિંહ ગુરુવારે ખંડણીના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા બાદ આ આરોપ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતી. પરમબીર સિંહને આ વર્ષે માર્ચમાં મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને વરિષ્ઠ આઈપીએસ અધિકારી હેમંત નાગરાલેને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શમશેર ખાન પઠાણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનના તત્કાલિન વરિષ્ઠ પોલીસ નિરીક્ષક એનઆર માલીએ કસાબ પાસેથી મોબાઈલ ફોન જપ્ત કર્યાની માહિતી આપી હતી. કાંબલે નામના કોન્સ્ટેબલને ફોન આપ્યાની વાત થઈ હતી. આતંકવાદ વિરોધી ટુકડીના તત્કાલીન ડીઆઈજી પરમબીર સિંહે કોન્સ્ટેબલ પાસેથી મોબાઈલ ફોન લઈ લીધો હતો. ફોન આતંકવાદી હુમલાના તપાસ અધિકારી રમેશ મહાલેને સોંપવો જોઈતો હતો, પરંતુ સિંહે એક મહત્વપૂર્ણ પુરાવાનો નાશ કર્યો. આ સમગ્ર મામલે પરમબીર સિંહની ટિપ્પણી સામે આવી નથી. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version