મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક ઓર્ડર બહાર પાડવામાં આવશે જે અંતર્ગત ઇ-કોમર્સ અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે ૨૪ કલાકની પરવાનગી આપવામાં આવશે.

એટલે કે જે કોઈ વ્યક્તિ ઈ કોમર્સથી મંગાવી રહી છે તેને તેની ડિલિવરી 24 કલાક સુધી મળી રહેશે. આ ઉપરાંત ખાવાના ની હોટલો ના રસોડા ચોવીસ કલાક ચાલુ રહેશે, પરંતુ ડીલેવરી થકી જ ભોજન મળી શકશે.

કોરોના બન્યો બેકાબૂ : પુણેમાં બેડની અછત સર્જાતા હોટેલો ભાડે લેવી પડી

મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. 87% ટકા જેટલા દર્દીઓ એવા છે કે જેમના માં કોઈ લક્ષણ નથી. આ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના પોતાના ઘરે પણ સાજા થઇ શકે છે. માત્ર તેમને આરામ કરવાની જરૂર છે.

શહેરમાં ઈ-કોમર્સ તેમજ ખાણીપીણીની નો ધંધો કરી રહેલા લોકોને રાહત મળશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More