ધમ્માલ- મુંબઈમાં ગણેશોત્સવમાં સ્કૂલ- કોલેજોમાં આટલા દિવસની રજા જાહેર

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) બાદ બે વર્ષે આ વખતે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ(GaneshUtsav) ધામધૂમથી ઉજવાય રહ્યો છે. લોકોનો ઉત્સાહ આ વખતે બમણો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં(Education sector) પણ આ વખતે ગણેશોત્સવની રજાની જાહેરાત થઇ છે. રાજ્યની સ્કૂલ-કોલેજોને(schools and colleges) પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગે(Department of Education) પરિપત્રક બહાર પાડી મુંબઈ સહિત રાજ્યભરની તમામ સ્કૂલ-કોલેજો માટે ગણેશોત્સવના પહેલાં પાંચ દિવસ એટલે કે ૩૧મી ઓગસ્ટને બુધવારથી ચોથી સપ્ટેમ્બર, રવિવાર સુધી રજાની જાહેરાત કરી છે. આથી વિદ્યાર્થી-વાલીઓ(Student-Parents) અને શિક્ષકોમાં આનંદ અને રાહતનું વાતાવરણ જોવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો: શાબ્બાશ-યુરોપના સૌથી ઊંચા શિખરને સર કરી મુંબઈ ફાયરબ્રિગેડના બે જવાને દેશનું નામ કર્યું રોશન

આ પાંચ દિવસની રજાના સમય દરમિયાન કોઈ લેખિત કે મૌખિક પરીક્ષાનું (Written or Oral Examination) આયોજન ન કરવાનું આવ્હાન પણ શિક્ષણ વિભાગે કોન્વેન્ટ સ્કૂલોને(convent schools) ધ્યાનમાં રાખીને કર્યું છે.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More