Site icon

પાલઘરના તારાપુર ઔદ્યોગિક વસાહતમાં એક કેમિકલ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા; જુઓ વિડીયો, જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

મુંબઈને અડીને આવેલા પાલઘરના બોઈસર વિસ્તારમાં આજે સવારે એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ  આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ કંપની પાલઘર જિલ્લાના બોઈસર સ્થિત તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં છે. હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. 

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે આગમાં કેમિકલ કારખાનું સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું છે. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક આગમાં ફસાઈ ગયો હતો. તે કંપનીમાં પ્રોડક્શન મેનેજર હતો. 

આ સમાચાર પણ વાંચો : દિલ્હીમાં કોરોનાએ જડ જમાવી.. સતત ત્રીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી; જાણો આંકડા અહીં..

જોકે હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આવી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version