Site icon News Continuous Bureau | Mumbai

પથ્થરબાજોના નિશાના પર હવે એસી લોકલ, પ્રવાસીઓનો જીવ જોખમમાં, એક પથ્થરથી રેલવેને પડે છે 10,000રૂ.નો ફટકો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

પથ્થરબાજોના નિશાના પર મુંબઈના એસી લોકલ આવી ગઈ છે. એસી લોકલ પર પથ્થર મારવાના બનાવ વધી રહ્યા છે, તેને કારણે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં આવી છે. એ સાથે જ રેલવેને પણ બારીનો તૂટેલો એક કાચ બદલવામાં સરેરાશ 10,000 રૂપિયા સુધીનો ફટકો પડી રહ્યો છે.

Join Our WhatsApp Channel

રેલવેમાં દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કરનારાઓ પર પથ્થર મારવાના બનાવો કાયમ બનતા હોય છે. જેમાં અત્યાર સુધી અનેક પ્રવાસીઓને પોતાની આંખ ગુમાવી હોવાના બનાવ પણ નોંધાયા છે. હવે જોકે પથ્થરબાજોના નિશાના પર એસી લોકલ આવી ગઈ છે. એસી લોકલ પર પથ્થર મારીને કાચ તોડવાના બનાવ વધી ગયા છે.

આ સમાચાર પણ વાંચો : એસી લોકલ સામાન્ય પ્રવાસીઓને લાવી પરસેવો.. એસી લોકલની ફેરા વધ્યા અને સેન્ટ્રલ રેલવેનું ટાઈમટેબલ ખોરવાયું. જાણો વિગતે

રેલવેના જણાવ્યા મુજબ એસી લોકલ પર પથ્થર મારવાને કારણે બારીનો કાચ તૂટી જાય છે. એક કાચના સમારકામ પાછળ સરેરાશ 10,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. પથ્થર મારવાના સૌથી વધુ બનાવ હાર્બર લાઈનમાં બને છે. ખાસ કરીને ગોવંડી અને માનખુર્દમાં રેલવે પાટાને અડીને આવેલા ઝૂંપડપટ્ટીમાથી પથ્થર ફેંકવાનું પ્રમાણ વધારે હોય છે. તો સેન્ટ્રલ રેલવેમાં કલવા-મુંબ્રામાં આવી ઘટનાઓ વધારે બને છે.

Charkop Police Recover Stolen Lost Mobile ચોરાયેલા અને ગુમ થયેલા ૩૧૯થી વધુ કિંમતી મોબાઈલ પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યા, ચારકોપ પોલીસની મોટી સફળતા
Kandivali Child Labour કાંદિવલીની ગારમેન્ટ ફેક્ટરીમાંથી પોલીસે ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવ્યા, ફેક્ટરી માલિક અને સંચાલક સામે ગુનો દાખલ
Fake CEO Cyber Fraud કંપનીના નકલી CEO બની કર્મચારીઓને ખંખેરતી ટોળકીનો પર્દાફાશ બિહારઝારખંડથી ૨ ગઠિયા ઝડપાયા, ₹૪૮.૬૦ લાખ ફ્રીઝ
BMC Junior Engineer Bribery લાંચિયા અધિકારી પર એન્ટી કરપ્શન બ્યુરોની તરાપ BMCના જુનિયર એન્જિનિયર પાસેથી ₹૭ લાખથી વધુ રોકડ ઝડપાઈ
Exit mobile version