સારા સમાચાર : આખી દુનિયામાં કોરોના ને કારણે સૌથી ઓછો મૃત્યુદર મુંબઈનો છે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

મંગળવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેરને કારણે 10 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ વણસી છે. અત્યાર સુધી મુંબઈ શહેરમાં ૩ લાખ ૯ હજાર જેટલાં કોરોના ના કેસ નોંધાયા છે. જોકે સૌથી સારી વાત એ છે કે મુંબઈ શહેરમાં મૃત્યુદર 0.4 ટકા છે. આ મૃત્યુદર વિશ્વનો સૌથી ઓછો મૃત્યુદર છે. કોરોના ને કારણે બીજી લહેર માં કુલ 1319 લોકોનું મૃત્યુ થયું છે. બીજી તરફ ભારતના અન્ય રાજ્યો અને શહેરોમાં કોરોના ને કારણે મૃત્યુદર અનેક ગણો વધારે છે.

આ સાથે સારા સમાચાર એ છે કે મુંબઈમાં કોરોના ના કેસ સતત ઘટી રહ્યા છે. જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો માત્ર એક અઠવાડિયામાં મુંબઈથી કોરોના વિદાય લેશે.

મુંબઈ શહેરમાં એક હજારથી વધુ સામાન્ય નાગરિકો બન્યા વિશેષ પોલીસ અધિકારી, આ ફરજ નિભાવી રહ્યા છે. જાણો વિગત…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More