ન્યુઝ કંટીન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ : સાત દિવસમાં ગોરેગામમાં કોરોના બમણો થયો. સૌથી ભયાનક પરિસ્થિતિ. જાણો તાજા આંકડા.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

શનિવાર

ઉત્તર મુંબઈના ગોરેગામ વિસ્તારમાં પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. માત્ર 7 દિવસની અંદર અહીં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

1 એપ્રિલે અહીં 393 દર્દી નોંધાયા હતા, 

2 એપ્રિલે આ આંકડો વધીને સીધો 477 થઈ ગયો, 

3 એપ્રિલે આ આંકડો ફરી વધ્યો અને 504 નો થયો, 

4 એપ્રિલે આ આંકડામાં જબ્બર ઉછાળો આવ્યો અને કોરોના ના દર્દીઓ ની સંખ્યા 630 પર પહોંચી ગઈ, 

5 એપ્રિલે આંશિક હળવાશ મળી પરંતુ 478 દર્દી નોંધાયા, 

માત્ર એક જ દિવસમાં એટલે કે 6 એપ્રિલે ફરી આંકડો વધી ગયો અને ૪૯૭ દર્દી નોંધાયા, 

7 એપ્રિલના દિવસે અહીં 506 દર્દી નોંધાયા.

 

માત્ર ગોરેગામ વિસ્તારમાં જ 4,489 સક્રિય કોરોના ના કેસ છે. જ્યારે કે અત્યાર સુધી ગોરેગામમાં 420 લોકોના મૃત્યુ થયા છે. જો આ રીતે પરિસ્થિતિ ચાલુ રહી તો આગામી ૨૭ દિવસની અંદર કોરોના માં બમણી વૃદ્ધિ જોવા મળશે.

આમ ગોરેગામ વિસ્તારમાં રહેલા લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

કોરોના ઇફેક્ટ : વૈદકીય સુવિધાઓ ખૂટતા, ખાનગી હોસ્પિટલોને ઉદ્ધવ ઠાકરે કરી આ અપીલ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More