Site icon News Continuous Bureau | Mumbai

વાનખેડે પ્રકરણમાં એનસીપી નેતા નવાબ મલિકે હાઈ કોર્ટમાં વ્યક્ત કર્યો ખેદઃ કહ્યું ફરી આમ નહીં કરીએ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શુક્રવાર 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના નેતા અને રાજ્યના લઘુમતી મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે કેસમાં મુંબઈ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને દિલગીરી વ્યક્ત કરી હતી. કોર્ટના આદેશનો અનાદર કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તે બિનશરતી માફી માંગે છે અને ફરીથી આવા નિવેદનો નહીં કરે, એવી કોર્ટમાં એફિડેવિટ કરીને તેમણે ખાતરી પણ આપી હતી.
નાર્કોર્ટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલના અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવાની સુનાવણી ચાલી રહી છે. એ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાનખેડે પરિવાર વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપે તેવી નવાબ મલિકે હાઈકોર્ટમાં લેખિત ખાતરી આપી હતી. છતાં તેમણે મીડિયાને આપેલી મુલાકાતમાં વાંધાજનક નિવેદન આપ્યું હતું. 

હેં! મુંબઈના મેયર કિશોરી પેડણેકરને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો વિગત

હાઈ કોર્ટમાં સુનાવણી બાદ જસ્ટિસ શાહરૂખ કાથાવાલા અને મિલિંદ જાધવની ખંડપીઠે મલિકને એફિડેવિટનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ તેમની સામે કોર્ટની અવમાનના બદલ નોટિસ જારી કરવામાં કેમ ન આવે એવો સવાલ પણ તેમને કોર્ટે કર્યો હતો. તે મુજબ નવાબ મલિકે આજે ચાર પાનાનું સોગંદનામું દાખલ કરીને કોર્ટમાંથી બિનશરતી માફી માંગી હતી અને ખાતરી આપી હતી કે તે વાનખેડે વિશે વધુ કોઈ નિવેદનો નહીં કરે.

 

Kalyan Khadakpada Murder Case। કૌટુંબિક વિવાદમાં ભાભીની કરપીણ હત્યા કરી ભાગેલો આરોપી દિયર ઝારખંડ સરહદેથી ઝડપાયો
Mumbai GST Scam Malad। પતિના અવસાન બાદ મહિલા સાથે દગાખોરી લોનની લાલચ આપી જીએસટી આઈડીપાસવર્ડ મેળવ્યા, કંપનીના નામે ૭ કરોડના નકલી વ્યવહારો કર્યા
Mumbai Mankhurd Suicide Case। મુંબઈ માનખુર્દમાં મહિલાએ આત્મહત્યા કરી, અંતિમ વીડિયો મેસેજમાં પતિ પર લગાવ્યો દગાનો ગંભીર આરો
Mumbai Mulund Highway Accident। મુંબઈ હાઈવે પર રિક્ષાચાલકે અચાનક ખોટો યુટર્ન લીધો, બાઈક સ્લિપ થતાં મુલુંડના યુવકનું દર્દનાક મોત
Exit mobile version