Site icon

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકને પોલીસે આ શહેરમાંથી ઝડપ્યો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

 ગુરુવાર.

રાજયના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકી આપનારા યુવકની બેંગ્લોરથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

મુંબઈ પોલીસની સાયબર સેલે 34 વર્ષના જયસિંહ રાજપૂત નામના આ યુવકની ધરપકડ કરી છે. આદિત્ય ઠાકરેને 8 ડિસેમ્બરના રાતના 12 વાગે તેમના વોટ્સએપ નંબર પર ધમકી આપતો મેસેજ આ યુવકે મોકલ્યો હતો. આરોપીએ  ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભમાં આદિત્ય ઠાકરે પર આરોપ કર્યા હતા. 

આરોપી યુવકે ધમકીભર્યા મેસેજ મોકલતા પહેલા ત્રણ વખત ફોન પણ કર્યા હતા. આદિત્યએ ફોન નહીં ઉંચકતા તેણે મેસેજ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ બાદ સાયબર સેલે તપાસ કરીને આરોપી યુવકને બેંગ્લોરથી શોધી કાઢ્યો હતો.

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન હવે આ સ્ટેશન સુધી દોડશે. જાણો વિગત

Thane Investment Scam: 500 કરોડનું મહા-કૌભાંડ: 11,000 રોકાણકારોને લૂંટનારી ગેંગના ત્રણ સૂત્રધારો ગુજરાતથી ઝડપાયા
Mumbai Police Fraud: મુંબઈ પોલીસમાં જ ‘મોટું ગાબડું’: હોંગકોંગ ઇન્વેસ્ટમેન્ટના નામે સાથી અધિકારીએ જ પોલીસકર્મીને ₹92.5 લાખમાં નવડાવ્યા
Bangladeshi Infiltrators Powai: પવઈમાં પોલીસની મોટી કાર્યવાહી: નકલી આધાર કાર્ડ સાથે રહેતા બે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા
Digital Arrest Scam:મુંબઈમાં સાયબર ઠગાઈની મોટી ઘટના: નિવૃત્ત અધિકારીને ‘ડિજિટલ અરેસ્ટ’ ના નામે ₹1.27 કરોડનો ચૂનો લગાડ્યો
Exit mobile version