Site icon

રખડતા શ્વાન થી મુંબઈગરા પરેશાન, દરરોજ આટલા લોકોને બચકા ભરે છે આ શ્વાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

 સોમવાર.

મુંબઈમાં દિવસેને દિવસે રખડતા કૂતરાનો ત્રાસ વધી ગયો છે.  રસ્તા ચાલતા લોકોને આ રખડતા કૂતરા કરડી જતા હોય છે. છેલ્લા ચાર વર્ષમાં  લગભગ  3,15,000 લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા હોંવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. એટલે કે દરરોજ સરેરાશ 215 લોકોને કૂતરાઓ બચકા ભરે છે.  કૂતરાના કરડવાને કારણે એકનું મોત પણ થયું હતું.

પશુગણના મુજબ મુંબઈમાં 2,96,000 રખડતા શ્વાન છે. રખડતા શ્વાનના ત્રાસને રોકવા માટે પાલિકા અનેક ઉપાય અમલમાં મૂકતી હોય છે. છતા તેમાં આ શ્ર્વાન વ્યંધીકરણનો પણ સમાવેશ થાય છે. ભારતીય પશુગણના મંડળ મુજબ વર્ષમાં 30 ટકા  શ્ર્વાનના વ્યંધીકરણ થવા જોઈએ. પરંતુ ચાર વર્ષમાં પાલિકાએ માત્ર 79,496 શ્વાનના વ્યંધીકરણ કર્યા છે. તેથી  શ્ર્વાનની સંખ્યા વધતી જાય છે, તેમ તેનો ત્રાસ પણ વધતો જાય છે.
 2018થી 2020 સુધીના સમયગાળામાં  3,15,222 લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા હતા, જેમાં પશ્ચિમ ઉપનગરમાં તેનું પ્રમાણ વધારે છે. 2017ની સાલમાં 98,690 ડોગ બાઈટ્સ(શ્વાનના કરડવાના ), 2018માં 85,546, 2019 માં 85,054 તો 2020ની સાલમા 46,032 ડોગ બાઈટ્સના કેસ નોંધાયા હતા.

વેસ્ટર્ન રેલવેના આ બે સ્ટેશન પર સિનિયર સિટિઝન, દિવ્યાંગ અને સર્ગભા મહિલાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ; જાણો વિગત

Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Exit mobile version