Site icon

ઘોર બેદરકારી!! કાંદિવલીમાં પીપીઇ કીટ નો નિકાલ નાળા માં થાય છે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

કોરોના ની સારવાર સાથે જોડાયેલા લોકોએ ઉપકરણોનો નિકાલ કઈ રીતે કરવો તે સંદર્ભે એક ગાઈડ લાઈન આપવામાં આવેલ છે. આ ગાઇડલાઇન આપવા પાછળનો હેતુ એ છે કે દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને કારણે જે જે વિષાણુ સરફેસ પર ચોંટ્યા હોય તેને કારણે બીજા લોકોને ચેપ ન લાગે.

જોકે કાંદિવલી પશ્ચિમ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દાહણુકરવાડી ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓ નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ અંતિમ સંસ્કાર કર્યા બાદ અંતિમવિધિ સાથે જોડાયેલા લોકો પીપીઇ કીટ સહિતની અન્ય વસ્તુઓ સિધી પોઇસર નદી માં ઠાલવે છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. હવે આ સંદર્ભે પ્રશાસન એ પગલાં લીધા છે અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

જોકે સરકારના બધા પગલા ત્યારે લેવાયા છે જ્યારે લોકોએ ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો.

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version